Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maharashtra Political Crisis : SCએ પૂછ્યું - શું ડેપ્યુટી સ્પીકર પોતાના કેસમાં જજ બની શકે છે? આગામી સુનાવણી 11

મહારાષ્ટ્ર સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ કેસમાં મહારાષ્ટ્ર સરકારના વકીલો, મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને બળવાખોર શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે જૂથે પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

Maharashtra Political Crisis : મહારાષ્ટ્ર સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારના રોજ સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ કેસમાં મહારાષ્ટ્ર સરકારના વકીલો, મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને બળવાખોર શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદે જૂથે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલને પૂછ્યું છે કે, શું તેઓ પોતાની બાબતો પર નિર્ણય લઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ડેપ્યુટી સ્પીકર, મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવ, કેન્દ્ર સરકાર અને અન્યને નોટિસ આપીને આ મામલે જવાબ આપવા જણાવ્યું છે. આ કિસ્સામાં, એકનાથ શિંદે અને શિવસેનાના બાકીના અને 15 બળવાખોર ધારાસભ્યો વતી ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ દ્વારા આપવામાં આવેલી ગેરલાયકાતની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

શિંદે જૂથે રાઉતના 'મૃત શરીર' નિવેદનને ટાંક્યું

શિંદે જૂથે રાઉતના 'મૃત શરીર' નિવેદનને ટાંક્યું

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચેની રાજકીય લડાઈ સુપ્રીમકોર્ટમાં કાનૂની લડાઈમાં ફેરવાઈ ગઈ છે.

આ કેસમાં, એકનાથ શિંદે જૂથ વતી, કોર્ટે શિવસેના સાંસદ સંજય રાઉતની 'ડેડ બોડી' ટિપ્પણીનોઉલ્લેખ કર્યો છે કે, ગુવાહાટીમાં કેમ્પ કરી રહેલા શિવસેનાના ધારાસભ્યોના જીવનું જોખમ છે.

બળવાખોર જૂથે પહેલા હાઈકોર્ટમાં ન જવાની દલીલ કરી

બળવાખોર જૂથે પહેલા હાઈકોર્ટમાં ન જવાની દલીલ કરી

સોમવારની સુનાવણીમાં કોર્ટે બળવાખોર જૂથના વકીલને પૂછ્યું છે કે, તેઓ આ મામલાને પહેલા બોમ્બે હાઈકોર્ટમાં કેમ ન લઈ ગયા હતા.

આના પર શિંદે જૂથના વકીલ એનકે કૌલે કોર્ટને જણાવ્યું હતું કે, બળવાખોરોના ઘરો અને સંપત્તિઓને નુકસાન થયું છે અને એવા કોઈસંજોગો નથી કે તેઓ મુંબઈ જઈને પોતાના અધિકાર માટે લડે.

અયોગ્યતા અંગે નિર્ણય લેવાનો અધિકાર ડેપ્યુટી સ્પીકર પાસે છે : સિંઘવી

અયોગ્યતા અંગે નિર્ણય લેવાનો અધિકાર ડેપ્યુટી સ્પીકર પાસે છે : સિંઘવી

બીજી તરફ, ઉદ્ધવ જૂથ તરફથી હાજર રહેલા કોંગ્રેસના નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, શિંદે કેમ્પ દ્વારા પહેલાહાઈકોર્ટમાં ન જવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી.

તેમણે એમ પણ કહ્યું કે, બળવાખોર ધારાસભ્યોને અપાયેલી ગેરલાયકાતનીનોટિસ પર નિર્ણય લેવાનો અધિકાર ડેપ્યુટી સ્પીકરને છે.

સિંઘવીએ જણાવ્યું હતું કે, જ્યારે કેસ વિધાનસભામાં પેન્ડિંગ હોય ત્યારે ન્યાયિકસમીક્ષા કરી શકાય નહીં.

શું ડેપ્યુટી સ્પીકર પોતાના કેસમાં જજ બની શકે છે?

શું ડેપ્યુટી સ્પીકર પોતાના કેસમાં જજ બની શકે છે?

બળવાખોર ધારાસભ્યો વતી દલીલ કરવામાં આવી હતી કે, જ્યારે ખુદ ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ સામે અવિશ્વાસ પ્રસ્તાવ પેન્ડિંગ છે,ત્યારે તેઓ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે નિર્ણય લઈ શકતા નથી.

ડેપ્યુટી સ્પીકરના વકીલ રાજીવ ધવને જણાવ્યું હતું કે, અવિશ્વાસપ્રસ્તાવને નામંજૂર કરવામાં આવ્યો હતો. કારણ કે, તે એક વણચકાસાયેલ ઇમેઇલ સરનામાં દ્વારા મોકલવામાં આવ્યો હતો.

ડેપ્યુટી સ્પીકર શિવસેનાના 16 ધારાસભ્યો સામે કોઈ પગલું ભરી શકશે નહીં

ડેપ્યુટી સ્પીકર શિવસેનાના 16 ધારાસભ્યો સામે કોઈ પગલું ભરી શકશે નહીં

જીરવાલના વકીલની અરજી પર જસ્ટિસ સૂર્યકાન્તે પૂછ્યું હતું કે, જો ડેપ્યુટી સ્પીકર એમ કહી રહ્યા છે કે, તેઓ તેમને હટાવવાની અરજીનેફગાવી રહ્યા છે, તો સવાલ એ છે કે, શું ડેપ્યુટી સ્પીકર પોતાના કેસમાં જજ બની શકે છે?"

સૌથી મોટી વાત એ છે કે, સુપ્રીમ કોર્ટે આગામીસુનાવણી માટે 11 જુલાઈની તારીખ નક્કી કરી છે, એટલે કે ત્યાં સુધી ડેપ્યુટી સ્પીકર શિવસેનાના 16 ધારાસભ્યો સામે કોઈ પગલું ભરી શકશેનહીં જેમને ઉદ્ધવ જૂથ અયોગ્ય ઠેરવવા માગે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X