For Quick Alerts
For Daily Alerts
ગાંધીનું 'ગ્રામ સ્વરાજ'નું સપનું અવાસ્તવિક : શશિ થરૂર
થરૂરે કહ્યું કે 'ગ્રામ સ્વરાજની અવધારણા વાસ્તવિકતાથી દૂર છે. વિશ્વ બીજી દિશામાં આગળ વધી રહ્યો છે.' તેમણે કહ્યું કે 'અમે એક મોટા અંતર-નિર્ભર દુનિયાના લોકો છીએ.' એ વિચાર કે ગામ આપણા ખાદ્યાન્ન ઉત્પાદિત કરશે અને તે આત્મનિર્ભર બનશે, તે આપણા જીવનકાળમાં સંભવ નથી.
સંયુક્ત રાષ્ટ્રમાં અધિકારી રહી ચૂકેલા થરૂરે કહ્યું કે 'ગ્રામ સ્વરાજનો વિચાર અંતર-નિર્ભર અને વૈશ્વિકરણના યુગમાં અસંભવ માલૂમ પડે છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે કોઇ યથાર્થ સાધન નથી.'
થરૂરે એ પણ કહ્યું કે તે સાર્વજનિક વિસ્તારના ઉપક્રમોના મોટા પ્રશંસક નથી. તેમણે કહ્યું કે 'પીએસયૂને નાનું હોવું જોઇએ. તેને એવા ક્ષેત્રમાં હોવું જોઇએ જેમાં સાર્વજનિક સ્વામિત્વની દરકાર છે.' આને તેમણે પોતાની અંગત માન્યતા ગણાવી. રાજ્યમંત્રીએ કહ્યું કે તેઓ સંપૂર્ણ રીતે ખાનગીકૃત ઉડ્ડયન જોવા માંગશે.
Comments
mahatma gandhi shashi tharoor union mister panaji રાજ્યમંત્રી શશિ થરૂર મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પણજી
English summary
Mahatma Gandhi's vision of "gram raj" is not realistic in the times we live in, union Minister of State for Human Resource Development (HRD) Shashi Tharoor said here Friday.
Story first published: Friday, May 31, 2013, 18:28 [IST]