મમતા બેનર્જી આજે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે, ગઈ કાલે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે. તેઓ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. હવે વિપક્ષના નેતાઓને સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે. તેઓ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. હવે વિપક્ષના નેતાઓને સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. આ નેતાઓમાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીનું નામ છે. આ ઉપરાંત એનસીપીના પ્રમુખ શરદ પવાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળી શકે છે.

પેગાસસ જાસૂસી કાંડમાં તપાસની માંગ કરી
મમતા બેનર્જીએ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. યાસ તોફાનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાજર ન રહેતા થયેલા વિવાદ બાદ મમતા બેનર્જીએ મંગળવારે પ્રથમ ખવખત મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં મમતા બેનર્જીએ કોરોનાની મહત્તમ રસી અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ પેગાસસ કેસની તપાસ કરવાની માંગ કરી હતી.

મમતાની મુલાકાત કેમ મહત્વની?
મમતાની આ મુલાકાતો મિશન 2024 સાથે જોડવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાતનું લક્ષ્ય પીએમ મોદી અને ભાજપ વિરુદ્ધના વિરોધને એક કરવા અને તેમને કડક લડત આપવાનું છે. આ માટે મમતા બંગાળ મોડેલ પર ધ્યાન આપવા જઈ રહી છે. મમતા વિપક્ષી એકતા દ્વારા ભાજપને 375 બેઠકો પર સીધો પડકાર આપવાની તૈયારી કરી રહ્યા છે. આમાંથી 200 બેઠકો પર કોંગ્રેસને વોકઓવરની ઓફર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મમતાનું 'મિશન દિલ્હી' 2024 માં ભાજપને સત્તાથી હટાવવા માટે છે. આ માટે સોનિયા-પવાર-મમતા દેશભરમાં ભાજપ વિરુદ્ધ એકતાનો સંદેશ આપશે.

ઉત્તરપ્રદેશથી મિશનની શરૂઆત
મમતા બેનર્જી આ અભિયાનની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરી શકે છે. 2022 માં 7 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો હેતુ છે. મમતાએ સંદેશ આપવા આ છે કે તેનો વડાપ્રધાન બનવાનો ઇરાદો નથી. આ અભિયાનમાં કોંગ્રેસ કેન્દ્રિય ભૂમિકા ભજવશે. તાજેતરમાં જ મમતાના ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે સોનિયા, રાહુલને મળીને આ મોડેલ પર વાત કરી હતી.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
