NMP મુદ્દે મમતા ભડકી, દેશની સંપત્તિ છે, મોદી કે ભાજપની નહીં!
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મોદી સરકારના રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન કાર્યક્રમ પર ગુસ્સો વ્યક્ત કર્યાના એક દિવસ પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે મોદી સરકારના રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન કાર્યક્રમ પર ગુસ્સો વ્યક્ત કર્યાના એક દિવસ પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મોદી સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી અને ભાજપનું સૂત્ર હતું કે '70 વર્ષમાં કશું થયું નથી' અને 23 ઓગસ્ટના રોજ નાણામંત્રી જે 70 વર્ષમાં આ દેશની જે પુંજી બની હતી તે વેચવાનો નિર્ણય કરી રહ્યા છે. મમતા બેનર્જીએ પણ મોદી સરકાર અને ભાજપ પર કટાક્ષ કર્યો છે.
કેન્દ્ર સરકારની નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે આ મોદી કે ભાજપની સંપત્તિ નથી. આ મિલકતો દેશની છે. પીએમ દેશની સંપત્તિ વેચી ન શકે. તે એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે અને મને તેનાથી આઘાત લાગ્યો છે. આ નિર્ણયની નિંદામાં ઘણા લોકો મારી સાથે જોડાશે.
મંગળવારે મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, મોદી સરકારે 70 વર્ષમાં બનેલી દેશની સંપતિ વેચવાનો નિર્ણય કર્યો છે. મોદી સરકાર તેના બે-ત્રણ મોટા વેપારી મિત્રોનું ભલું કરવા માંગે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન સ્કીમથી થોડા જ વ્યવસાયો બાકી રહેશે અને રોજગારીની તકો ઓછી થઈ જશે. એટલું જ નહીં રાહુલે કહ્યું કે ઉદ્દેશ માત્ર 2-3 ખાનગી ખેલાડીઓને મદદ કરવાનો છે.