મમતા સરકારે યોગી આદિત્યનાથને રેલી કરવાની મંજૂરી નહીં આપી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પશ્ચિમ બંગાળમાં થવા જઈ રહેલી રેલીઓને મમતા સરકારે મંજૂરી નથી આપી.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પશ્ચિમ બંગાળમાં થવા જઈ રહેલી રેલીઓને મમતા સરકારે મંજૂરી નથી આપી. આ બાબતે યુપીના મુખ્યમંત્રી કાર્યાલય ઘ્વારા રવિવારે જાણકારી આપવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પૂર્વ સૂચના વિના પશ્ચિમ બંગાળ સરકાર ઘ્વારા આજે (3 ફેબ્રુઆરી) યોગી આદિત્યનાથની રેલીને મંજૂરી નથી આપવામાં આવી. આપને જણાવી દઈએ કે ભાજપ પ્રદેશમાં 100 કરતા પણ વધારે રેલી કરવા જઈ રહી છે. આ લિસ્ટમાં જ યોગી આદિત્યનાથ બાંકુરા અને પુરલિયામાં બે રેલીઓ કરવા જઈ રહ્યા હતા.

મુખ્યમંત્રીના સૂચના સલાહકાર મૃત્યુંજય કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતાનો અસર છે કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના હેલીકૉપટર લેન્ડિંગની પણ મંજૂરી નથી આપી. યોગી આદિત્યનાથની પશ્ચિમ બંગાળના ચાર રેલીઓ રાખવામાં આવી છે. આજે એટલે કે 3 ફેબ્રુઆરીએ યોગી આદિત્યનાથની બાંકુરા અને પુરલિયામાં બે રેલીઓ થવાની હતી, જેને મમતા સરકારે મંજૂરી નથી આપી. જયારે 5 તારીખે રાયગંજ અને દિનાજપુર જિલ્લાના બાલુર ઘાટમાં રેલીઓ થશે.
આ પણ વાંચો: મોદી માનસિક રૂપે પીએમ પદ છોડવા તૈયાર નથી: મમતા બેનર્જી
આ પહેલીવાર નથી જયારે સીએમ યોગીની કોઈ રેલીને મમતા સરકારે મંજૂરી નથી આપી. આ પહેલા ઝારગ્રામમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહના હેલીકૉપટરને ઉતારવાની મંજૂરી આપવામાં આવી ના હતી. આ સતત બીજી વાર હતું જયારે અમિત શાહના હેલીકૉપટરને બંગાળમાં લેન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી ના હતી.
આ પણ વાંચો: PSE સર્વેઃ પશ્ચિમ બંગાળમાં મમતા, ઓડિશામાં પટનાયકનો જાદુ યથાવત, પીએમ માટે મોદી મજબૂત દાવેદાર
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
