Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મમતાનો દાવો- કેન્દ્રએ મધર ટેરેસા મિશનરીના એકાઉન્ટ કર્યા ફ્રિઝ, સંસ્થા બોલી- બધુ ઠીક છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાતાલના દિવસે મધર ટેરેસાની મિશનરીઝ ઑફ ચેરિટી સંસ્થાના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાના અહેવાલો પર આઘાત વ્યક્ત કર્યો છે. આ માટે મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તે જ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાતાલના દિવસે મધર ટેરેસાની મિશનરીઝ ઑફ ચેરિટી સંસ્થાના બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હોવાના અહેવાલો પર આઘાત વ્યક્ત કર્યો છે. આ માટે મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારની ટીકા કરી છે. તે જ સમયે, મિશનરીઝ ઑફ ચેરિટી સંસ્થાએ કહ્યું છે કે તેમના ખાતા યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. જો કે, ગૃહ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.

Mamta Banerjee

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ટ્વિટ કર્યું, "સાંભળીને આઘાત લાગ્યો કે ક્રિસમસ પર કેન્દ્રીય મંત્રાલયે ભારતમાં મધર ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે! તેમના 22,000 દર્દીઓ અને સ્ટાફ ખોરાક અને દવાઓ વિના રહી ગયા છે. જ્યારે કાયદો સર્વોપરી છે, ત્યારે માનવતાવાદી પ્રયાસો સાથે સમાધાન ન થવું જોઈએ.

મિશનરીઝ ઓફ ચેરિટીના પ્રવક્તા સુનીતા કુમારે કહ્યું, "અમને આ વિશે કંઈપણ કહેવામાં આવ્યું નથી. હું તેનાથી બિલકુલ વાકેફ નથી. ભારત સરકારે અમને કંઈ કહ્યું નથી. બેંક વ્યવહારો બરાબર ચાલી રહ્યા છે. બધું બરાબર છે." સૂત્રોના જણાવ્યા અનુસાર , કેન્દ્ર સરકારના આદેશ પર તમામ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને નાતાલ દરમિયાન તમામ ખાતાઓમાં વ્યવહારો બંધ કરવા સૂચના આપવામાં આવી હતી.

12 ડિસેમ્બર, રવિવારના રોજ, ગુજરાતના મકરપુરા પોલીસ સ્ટેશનમાં સંસ્થા વિરુદ્ધ ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી, મયંક ત્રિવેદીએ આરોપ મૂક્યો હતો કે મિશનરીઝ ઓફ ચેરિટી "હિંદુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહી છે" અને યુવાન છોકરીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લાલચ આપી રહી છે. ફરિયાદ અનુસાર, સંસ્થાની લાઇબ્રેરીમાંથી 13 બાઇબલ મળી આવ્યા હતા અને ત્યાં રહેતી છોકરીઓને ધાર્મિક ગ્રંથો વાંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જોકે, મિશનરીઝ ઓફ ચેરિટીએ આ આરોપને નકારી કાઢ્યો છે.

મિશનરીઝ ઑફ ચેરિટી, 1950 માં સ્વર્ગસ્થ મધર ટેરેસા દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. એક રોમન કેથોલિક સાધ્વી કે જેઓ તેમના જીવનનો મોટાભાગનો સમય કોલકાતામાં રહેતા અને કામ કરતા હતા. આ માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X