Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Manmohan Singh funeral : ક્યાં અને ક્યારે થશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર?

Manmohan Singh Death : ભારતના પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે અંતિમ યાત્રા બાદ તેમના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ગૃહ મંત્રાલયે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટેનો કાર્યક્રમ જારી કર્યો છે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે સવારે 11:45 વાગ્યે કરાશે.
અંતિમ સંસ્કારમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મંત્રીઓ નિગમબોધ ઘાટ પહોંચશે.

Manmohan Singh funeral

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યુ કે, શનિવારે 28 ડિસેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે અંતિમ યાત્રા દિલ્હીમાં AICCના મુખ્યાલયથી નિગમબોધ ઘાટ માટે રવાના થશે. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકના કારણે શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ નહીં યોજાય.

દર અઠવાડિયે તેનું આયોજન કરવામાં આવે છે. મનમોહન સિંહના માનમાં દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે તેમનું સ્મારક એ જ જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર કરવામાં આવે.

ખડગેએ પત્રમાં લખ્યુ છે કે, મનમોહન સિંહ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવ્યા અને વિભાજનની પીડાનો અનુભવ કર્યો, તેમના નિશ્ચયને કારણે વિશ્વના અગ્રણી રાજકારણીઓમાંના એક બન્યા. આને ધ્યાનમાં રાખીને મને આશા અને વિશ્વાસ છે કે, ડો. મનમોહન સિંઘના કદ અનુસાર અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવાની ઉપરની વિનંતી સ્વીકારવામાં આવશે જ્યાં તેમનું સ્મારક બની શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X