Manmohan Singh funeral : ક્યાં અને ક્યારે થશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર?
Manmohan Singh Death : ભારતના પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે અંતિમ યાત્રા બાદ તેમના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટેનો કાર્યક્રમ જારી કર્યો છે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે સવારે 11:45 વાગ્યે કરાશે.
અંતિમ સંસ્કારમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મંત્રીઓ નિગમબોધ ઘાટ પહોંચશે.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યુ કે, શનિવારે 28 ડિસેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે અંતિમ યાત્રા દિલ્હીમાં AICCના મુખ્યાલયથી નિગમબોધ ઘાટ માટે રવાના થશે. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકના કારણે શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ નહીં યોજાય.
દર અઠવાડિયે તેનું આયોજન કરવામાં આવે છે. મનમોહન સિંહના માનમાં દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે તેમનું સ્મારક એ જ જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર કરવામાં આવે.
ખડગેએ પત્રમાં લખ્યુ છે કે, મનમોહન સિંહ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવ્યા અને વિભાજનની પીડાનો અનુભવ કર્યો, તેમના નિશ્ચયને કારણે વિશ્વના અગ્રણી રાજકારણીઓમાંના એક બન્યા. આને ધ્યાનમાં રાખીને મને આશા અને વિશ્વાસ છે કે, ડો. મનમોહન સિંઘના કદ અનુસાર અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવાની ઉપરની વિનંતી સ્વીકારવામાં આવશે જ્યાં તેમનું સ્મારક બની શકે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ



Click it and Unblock the Notifications
