Manmohan Singh funeral : ક્યાં અને ક્યારે થશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર?
Manmohan Singh Death : ભારતના પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે અંતિમ યાત્રા બાદ તેમના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટેનો કાર્યક્રમ જારી કર્યો છે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે સવારે 11:45 વાગ્યે કરાશે.
અંતિમ સંસ્કારમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મંત્રીઓ નિગમબોધ ઘાટ પહોંચશે.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યુ કે, શનિવારે 28 ડિસેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે અંતિમ યાત્રા દિલ્હીમાં AICCના મુખ્યાલયથી નિગમબોધ ઘાટ માટે રવાના થશે. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકના કારણે શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ નહીં યોજાય.
દર અઠવાડિયે તેનું આયોજન કરવામાં આવે છે. મનમોહન સિંહના માનમાં દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે તેમનું સ્મારક એ જ જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર કરવામાં આવે.
ખડગેએ પત્રમાં લખ્યુ છે કે, મનમોહન સિંહ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવ્યા અને વિભાજનની પીડાનો અનુભવ કર્યો, તેમના નિશ્ચયને કારણે વિશ્વના અગ્રણી રાજકારણીઓમાંના એક બન્યા. આને ધ્યાનમાં રાખીને મને આશા અને વિશ્વાસ છે કે, ડો. મનમોહન સિંઘના કદ અનુસાર અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવાની ઉપરની વિનંતી સ્વીકારવામાં આવશે જ્યાં તેમનું સ્મારક બની શકે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન











Click it and Unblock the Notifications
