આસામમાં આજે મતદાનઃ મનમોહન સિંહે કહ્યુ - સમજદારીથી કરજો મતદાન, રાજ્યને ધર્મના નામે વહેંચવામાં આવી રહ્યો છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શુક્રવારે(26 માર્ચ) આસામની જનતાને અપીલ કરી છે કે તે પોતાનો મત સમજદારીથી આપે.
નવી દિલ્લીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે શુક્રવારે(26 માર્ચ) આસામની જનતાને અપીલ કરી છે કે તે પોતાનો મત સમજદારીથી આપે. આસામમાં આજે એટલે કે શનિવારે 47 વિધાનસભા સીટો પર પહેલા તબક્કાનુ મતદાન થવાનુ છે. મનમોહન સિંહે આસામમાં પહેલા તબક્કાના મતદાન પહેલા શુક્રવારે એક વીડિયો સંદેશમાં કહ્યુ કે 'આસામના લોકોને ધર્મ અને સંસ્કૃતિના નામ પર વહેંચવામાં આવી રહ્યા છે. એવામાં હવે સમય આવી ગયો છે કે રાજ્યની જનતા સમજદારીથી કામ લે અને મતદાન કરે. તેમણે આસામની જનતાને કોંગ્રેસના નેતૃત્વવાળા મહાગઠબંધનના પક્ષમાં મતદાન કરવા માટે કહ્યુ છે. તેમણે કહ્યુ કે આસામની જનતાએ એક એવી સરકાર ચૂંટવાની જરૂર છે જે બંધારણ અને લોકતાંત્રિક સિદ્ધાંતોને જાળવી રાખે.'

વીડિયો સંદેશમાં પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યુ, 'ઘણા વર્ષોથી આસામ મારુ બીજુ ઘર છે. આ મારુ સૌભાગ્ય રહ્યુ છે કે મે 1991થી 2019 સુધી 28 વર્ષો સુધી રાજ્યસભામાં આસામનુ પ્રતિનિધિત્વ કર્યુ છે. હું આસામના લોકોના સ્નેહ અને સમર્થ માટે હંમેશાથી આભારી છુ. આસામના લોકોએ મને 5 વર્ષો માટે નાણામંત્રી અને 10 વર્ષો માટે પ્રધાનમંત્રી તરીકે આપણા દેશની સેવા કરવામાં સક્ષમ બનાવ્યો. આજે આસામની જનતાને હું અપીલ કરીશ કે વિધાનસભા ચૂંટણીમાં લોકો સમદારીથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.'
મનમોહન સિંહે કહ્યુ, 'તમારે એવી સરકારને મત આપવો જોઈએ જે દરેક નાગરિક, દરેક સમાજનુ ધ્યાન રાખે. તમારે એક એવી સરકારને મત આપવો જોઈએ જે સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરે અને આસામને એક વાર ફરીથી શાંતિ અને વિકાસના રસ્તે લઈ જાય. તમારે ભારતીય બંધારણ અને લોકતંત્રના સિદ્ધાંતોને લાગુ કરતી સરકારના પક્ષમાં મતદાન કરવુ જોઈએ.'
મનમોહન સિંહે ભાજપનુ નામ લીધા વિના નિશાન સાધીને કહ્યુ, 'આસામના લોકો ઘણા લાંબા સમયથી ઉગ્રવાદ અને અશાંતિને સહન કરી છે અને કરી રહ્યા છે. તરુણ ગોગોઈ સરકારને આને વધુ પ્રોત્સાહન આપ્યુ છે. આસામના લોકોને માત્ર ધર્મ, ભાષા અને સંસ્કૃતિના નામ વહેંચવામાં આવી રહ્યા છે. આસામવાસીઓને મૂળભૂત અધિકારોથી વંચિત કરી દેવામાં આવ્યા છે. નોટબંધી અને ખોટી રીતે જીએસટી લાગુ કરવાથી દેશની અર્થવ્યવસ્થા નબળી પડી ગઈ છે. યુવાનોને નોકરી નથી મળી રહી. પેટ્રોલ અને ડીઝલ તેમજ એલપીજી ગેસની કિંમતથી સામાન્ય જનતા પરેશાન છે.'
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
