ગોવાઃ ચોથીવાર CM બનનાર મનોહર પર્રિકરની રાજકારણીય સફર
મનોહર પર્રિકર ભારતના એવા પહેલા મુખ્યમંત્રી છે, જેમણે આઇ.આઇ.ટી.માંથી સ્નાતકની પદવી મેળવી છે.
ગોવા ના મુખ્યમંત્રી તરીકે ચોથી વાર મનોહર પર્રિકર ની નિમણૂક થઇ છે. મંગળવારે સાંજે તેમણે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. મનોહર પર્રિકર આ પહેલાં રક્ષા મંત્રીના પદે બિરાજમાન હતા. આઇઆઇટી માંથી સ્નાતકની પદવી મેળવનાર મનોહર પર્રિકરને રાજકારણ ના સફર પર એક નજર નાંખીએ.

ગોવાના મુખ્યમંત્રી
મનોહર પર્રિકર ભાજપના મુખ્ય નેતાઓમાંના એક છે. 24 ઓક્ટોબોર, 2000માં તેઓ પહેલીવાર ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યાર બાદ 5 જૂન, 2002માં બીજી વાર તેઓ મુખ્યમંત્રી નિમાયા. તેઓ ગોવાના ગૃહ, કર્મચારી, સામાન્ય વહીવટ અને શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2005માં તેઓ વિપક્ષ નેતા રહ્યાં અને 2007માં ફરીથી ગોવાના મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા.

આઇ.આઇ.ટી. મુંબઇથી સ્નાતક
મનોહર પર્રિકર વર્ષ 1978માં આઇ.આઇ.ટી મુંબઇથી સ્નાતકની પરીક્ષામાં ઉત્તીણ થયા હતા, તેઓ ભારતના કોઇ પણ રાજ્યના પહેલા એવા મુખ્યમંત્રી છે, જે આઇઆઇટી ગ્રેજ્યૂએટ હોય. વર્ષ 2001માં તેમના આઇઆઇટી મુંબઇ દ્વારા વિશિષ્ટ ભૂતપૂર્વ વિદ્યાર્થીની ઉપાધિ પણ આપવામાં આવી હતી.

ગોવાના મુખ્યમંત્રી બનનાર ભાજપના પહેલા નેતા
તેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ગોવાના મુખ્યમંત્રી બનવાવાળા પહેલા નેતા છે. વર્ષ 1994માં તેમને ગોવાના દ્વિતીય વિધાન માટે ચૂંટવામાં આવ્યા હતા. જૂન 1999થી નવેમ્બર 1999 સુધી તેઓ વિરોધી પાર્ટીના નેતા રહ્યાં.

24 ઓક્ટોબર, 2000
24 ઓક્ટોબર, 2000 ના રોજ તેઓ ગોવાના મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેમની સરકાર 27 ફેબ્રુઆરી 2002 સુધી જ ચાલી. જૂન 2002માં તેઓ ફરીથી સભાના સભ્ય બન્યા તથા 5 જૂન, 2002ના રોજ પુનઃ ગોવાના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા.

21 ધારાસભ્યોના સમર્થનનો દાવો
મનોહર પર્રિકરે 40 બેઠકવાળી વિધઆનસભામાં 21 સભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 13 બેઠકો પર જ જીત મળી છે, ગોવા ફૉરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના 3-3 સભ્યોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. સાથે જ બે અપક્ષ ધારાસભ્યો પણ ભાજપના સમર્થનમાં છે.

અહીં વાંચો
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
