Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુપ્રિમ કોર્ટ આકરા મૂડમાં, ઇટલી સરકાર અને રાજદૂતને ફટકારી નોટિસ

italian marines
નવી દિલ્હી, 14 માર્ચ: ઇટાલીયન મરિન્સ કેસ વધુને વધુ વિવાદીત થતો જઇ રહ્યો છે. ભારતીય સુપ્રિમ કોર્ટે આજે ઇટાલીયન સરકાર અને બંને ઇટાલીયન મરિન્સને નોટિસ ફટકારી છે. સુપ્રિમ કોર્ટે ઇટલીના રાજદૂતને પણ નોટિસ ફટકારી છે. સુપ્રિમ કોર્ટે અહીં સુધી એવો આદેશ આપી દીધો છે કે ઇટાલીય રાજદૂત ભારત છોડી શકશે નહીં. સુપ્રિમ કોર્ટે ઇટલી સરકાર અને ઇટાલીયન મરિન્સને 18 માર્ચ સુધી જવાબ આપવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં સાલ્વાતોરે ગિરોને અને મેસિમિલીઆનો લાતોરે નામના બે ઇટાલિયન નૌકાદળના સૈનિકોએ કેરેલાના બે માછીમારો પર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આ બંને મરીન્સ ભારતની ગિરફ્તમાં હતા, અને તેમની પર ભારતમાં કેસ પણ ચાલી રહ્યો છે.

ઇટલીમાં ચૂંટણીનો હવાલો આપી તેમને મતદાન કરાવવા માટે ઇટલી લઇ જવાની પરવાનગી ભારત સરકાર પાસે માંગી હતી, અને સુપ્રિમ કોર્ટે તેની પરવાનગી આપી હતી. પરંતુ હવે ઇટાલિયન સરકાર તેમને ભારત પરત મોકલવાનો ઇનકાર કરી રહ્યું છે.

જોકે ઇટલી સરકારના આવા વિશ્વાસઘાતી વલણને પગલે સંસદમાં વિપક્ષી દળે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને તેમની પાસે જવાબ માગ્યા છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહે પણ જણાવ્યું હતું કે ઇટલી સરકારને આનું પરિણામ ભોગવવું પડશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગઇકાલે યુપીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઇટાલીયન મરિન્સને પાછા લાવવા માટે કેન્દ્ર સરકાર શું પગલા લઇ રહી છે તે દેશની જનતાને જણાવે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X