For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરીન કેસઃ NIAના અધિકાર પર ઇટલીએ ઉઠાવ્યા પ્રશ્નો

By Super
|
Google Oneindia Gujarati News

marines
નવી દિલ્હી, 16 એપ્રિલઃ ઇટલીએ બે ભારતીય માછીમારોની કથીત હત્યા મામલે પોતાના બે નૌસૈનિકો વિરુદ્ધ તપાસને લઇને આજે ઉચ્ચતમ ન્યાયાલયમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઇએ)ના અધિકાર ક્ષેત્ર પર પ્રશ્નો ઉઠાવ્યા છે. સરકારે ઇટલીના આ તર્ક સાથે અસહમતિ વ્યક્ત કરતા ન્યાયાલયને આશ્વાસન આપ્યું છે કે, આ તપાસ 60 દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે.

ઇટલી સરકાર તરફથી વરિષ્ઠ અધિવક્તા મુકુલ રોહતગીએ પ્રધાન ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠ સમક્ષ કહ્યું કે એનઆઇએને તપાસ કરવાનો કોઇ અધિકાર નથી, કારણ કે નૌસૈનિકો પર લગાવવામાં આવેલો આરોપ એનઆઇએના કાયદાના દાયરામાં આવતા નથી. નોંધનીય છે કે, કેન્દ્રએ એનઆઇએને મામલાની તપાસ કરવા માટે કહ્યું છે.

તેમણે કહ્યું કે, એનઆઇએ માત્ર ત્યારે જ તપાસ કરી શકે છે જ્યારે 'અનલોફુલ એક્ટ્સ અગેંસ્ટ સેફ્ટી ઓફ મેરીટાઇમ નેવિગેશન એન્ડ ફિક્સ્ડ પ્લેટફોર્મ ઓન કોન્ટિનેન્ટલ શેલ્ફ એક્ટ, 2002' હેઠળ આરોપ લગાવવામાં આવ્યા હોય.

તેમણે કહ્યું કે, ઉચ્ચતમ ન્યાયાલયના આદેશને પરિપ્રેક્ષ્યમાં એવું કરી શકાય તેમ નથી, જેમણે નૌસૈનિકો વિરુદ્ધ માત્ર ભારતીય દંડ સંહિતા, અપરાધ પ્રક્રિયા સંહિતા, સમુદ્રી ક્ષેત્ર કાયદો અને સંયુક્ત રાષ્ટ્ર સંધિ સંબંધી સમુદ્રી કાયદા હેઠળ અભિયોગ ચલાવવાનો આદેશ આપ્યો છે.

English summary
Italy on Tuesday questioned in the Supreme Court NIA's jurisdiction to probe the case against its two marines for allegedly killing two Indian fishermen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X