ભાગવત ફરી બોલ્યા, હવે પતિ-પત્નીના સંબંધો પર ઉઠાવ્યો સવાલ

મોહન ભાગવતે ઉપસ્થિત મેદનીને સંબોધતા કહ્યું હતું કે, પતિ સાથે પત્નીનો એક કરાર હોય છે. જેને તમે લોકો વિવાહ સંસ્કાર તરીકે ઓળખતાં હશો. આ કરાર હેઠળ, જો પત્ની કરાર હેઠળ પોતાની શરતો પુરી નથી કરતી તો તેને છોડી દો, તેવી જ રીતે પતિ તેની શરતો પુરી નથી કરતો તો તેને પણ છોડી દો.
બીજી તરફ ભાગવતના નિવેદનને લઇને થઇ રહેલા બબાલ બાદ સંઘ ફરી તેમના બચાવમાં આવ્યું છે. સંઘના પ્રવક્તા રામ માઘવનું કહેવું છે કે ભાગવતના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. રામ માઘવે ટ્વિટર પર કહ્યું છે કે, જે પણ સંઘના પ્રમુખ દ્વારા કહેવામા આવ્યું છે, તેનો ઉંઘો અર્થ કાઢીને વિવાદ ખડો કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે બળાત્કારની ઘટનાઓ ભારતમાં ઓછી અને ઇન્ડિયામાં વધારે થાય છે. ભાગવતે બળાત્કાર માટે પશ્ચિમી સંસ્કૃતિને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે બળાત્કાર શહેરોમાં વધારે થઇ રહ્યાં છે કારણ કે ત્યાં લોકો પશ્ચિમી સંસ્કૃતિથી પ્રભાવિત છે.
મોહન ભાગવતના મતે, રેપ જેવી ઘટનાઓ 'ભારત'માં ક્યારેક-ક્યારેક થાય છે, પરંતુ 'ઇન્ડિયા'માં વારંવાર થાય છે. તમે ગામડાં અને જંગલોમાં જાઓ ત્યાં સામુહિક બળાત્કાર કે પછી યૌન શોષણ નથી થતાં. આ સાથે જ ભાગવતે કહ્યું કે નવા કાયદા ઉપરાંત લોકોએ ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓ તરફ જોવાની દૃષ્ટી બદલવા તરફ ધ્યાન આપવું જોઇએ. મોહન ભાગવતે બળાત્કારીઓને ફાંસીની સજાની માંગ કરી છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
