માયાવતી અને ઓવૈસીને પદ્મ વિભૂષણ અને ભારતરત્ન આપો, શિવસેનાના નેતા સંજય રાઉતે કરી માગ
ઉત્તર પ્રદેશમાં ભાજપની બમ્પર જીત અને સમાજવાદી પાર્ટીની કારમી હાર બાદ શિવસેનાએ એક અજીબોગરીબ માગ કરી છે.
મુંબઈ : ઉત્તર પ્રદેશમાં ભાજપની બમ્પર જીત અને સમાજવાદી પાર્ટીની કારમી હાર બાદ શિવસેનાએ એક અજીબોગરીબ માગ કરી છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સપાની હારમાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ માયાવતીને પદ્મ વિભૂષણ અને અસદુદ્દીન ઓવૈસીને ભારત રત્ન આપવો જોઈએ.
|
અખિલેશ યાદવની સીટ 3 ગણી વધી
શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, ભાજપને મોટી જીત મળી છે. ઉત્તર પ્રદેશ તેમનું રાજ્ય હતું, છતાં અખિલેશ યાદવની બેઠકો 3 ગણી વધી અને તેઓ42 થી 125 પર પહોંચી ગયા હતા.
ભાજપની જીતમાં માયાવતી અને ઓવૈસીની મહત્વની ભૂમિકા હતી, તેથી તેમને 'પદ્મ વિભૂષણ' અને 'ભારત રત્ન' મળવો જોઈએ.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી કેમ હાર્યા?
સંજય રાઉતે કહ્યું કે, 4 રાજ્યોમાં ભાજપની જીત થઈ છે, અમને ચિંતા કરવાની કોઈ વાત નથી, અમે તમારી ખુશીમાં શામેલ છીએ. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કેમ હાર્યા?
ગોવામાં 2 નાયબ મુખ્યમંત્રી ગુમાવ્યા હતા. સૌથી વધુ ચિંતાનો વિષય પંજાબ છે, પંજાબમાં ભાજપ જેવી રાષ્ટ્રવાદી પાર્ટીને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે.
|
પંજાબના લોકોએ ભાજપને નકારી કાઢ્યો
સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન, ગૃહ મંત્રી, સંરક્ષણ પ્રધાન, બધાએ પંજાબમાં જબરદસ્ત પ્રચાર કર્યો, તો પછી તમે પંજાબમાં કેમ હાર્યા? ઉત્તર પ્રદેશ,ઉત્તરાખંડ, ગોવા પહેલાથી જ તમારા હતા, જે સારું છે, પરંતુ તમે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને શિવસેના કરતાં પંજાબમાં વધુ હાર્યા છે.
ભાજપ પર કટાક્ષ કરતા શિવસેનાએ જણાવ્યું હતું કે, આ સફળતાથી તેને અપચો ન થવો જોઈએ. કારણ કે, હાર કરતાં જીત પચાવવી વધુ મુશ્કેલ છે. શિવસેનાએ તેનામુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં લખ્યું છે કે, ચાર રાજ્યોમાં ભાજપની જીતની મહારાષ્ટ્ર પર કોઈ અસર નહીં થાય અને "દારૂની બોટલ પકડતા વાંદરાઓ જેવી અસરથશે".
સામનામાં કહેવામાં આવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં વિકાસ કરતાં જાતિને પ્રાધાન્ય આપવામાં આવે છે અને આ વખતે ભાજપે ચૂંટણી જીતવા માટે 'હિજાબ' અને જાતિનામુદ્દાનો ઉપયોગ કરીને સફળતા મેળવી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, માયાવતીની આગેવાની હેઠળની બહુજન સમાજ પાર્ટીએ પણ મૌન રહીને ભાજપને મદદકરી હતી.

ભાજપને 'આપ' અને તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી લડવાનો ફાયદો મળ્યો
મહારાષ્ટ્રમાં શાસક પક્ષે જણાવ્યું છે કે, એવી અપેક્ષા હતી કે, અખિલેશ યાદવ ગઠબંધન લગભગ 180 બેઠકો જીતશે કારણ કે તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ150નો આંકડો પાર કરી શક્યો નથી.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં તેમની પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. જો અખિલેશ યાદવ અને કોંગ્રેસ સાથેમળીને ચૂંટણી લડ્યા હોત, તો તેઓ સખત લડત આપવા માટે વધુ સારી સ્થિતિમાં હોત.
સામનાના તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે, ગોવામાં કોંગ્રેસ માત્ર 11 સીટજીતી શકી અને ભાજપને 'આપ' અને તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી લડવાનો ફાયદો મળ્યો હતો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
