સરકારના લોકોએ ઢાંકણી ભરી પાણીમાં ડૂબી જવું જોઇએ: લાલૂ પ્રસાદ

પટનામાં બુધવારે પત્રકારો સાથે ચર્ચા કરતાં લાલૂ પ્રસાદે કહ્યું હતું કે રિપોર્ટ અનુસાર સરકાર દ્રારા પત્રકારોની જે સ્થિતી બનાવવામાં આવી છે, તે સ્થિતિ લોકતંત્ર માટે ખતરનાક છે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે અહીં સરકાર દ્રારા મજૂરો, ખેડૂતો અને યુવાનોની વાત કેવી રીતે દબાવવામાં આવે છે. આ રિપોર્ટ દ્રારા સાબિત થાય છે.
લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે રિપોર્ટ બાદ સરકારના લોકો મોઢું બતાવવા લાયક રહ્યાં નથી. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે તે પહેલાં પણ કહેતાં હતાં કે અહીં સમાચારપત્રોમાં લોકોની અવાઝને પુરતું સ્થાન મળતું નથી. તેમને કહ્યું હતું કે તે સંપૂર્ણ રિપોર્ટ મંગાવીને અભ્યાસ કરશે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે લોકતંત્ર માટે આ સ્થિતી વિસ્ફોટક અને ઘાતક છે. તે આ મુદ્દો જનતા સમક્ષ લઇ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેસની આઝાદીના હનન ફરિયાદોની તપાસ માટે પ્રેસ પરિષદના ત્રણ સભ્યોની ટુકડી થોડાં દિવસો પહેલાં બિહાર આવી હતી. આ ટુકડીએ અહીંથી પરત પોતાની ફરીયાદ પ્રેસ પરિષદને સોંપી છે.












Click it and Unblock the Notifications
