Meghalaya : કોનરાડ સંગમાએ સરકાર બનાવવા દાવો કર્યો, 7 માર્ચે શપથ લઈ શકે
મેઘાલયના સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ કોનરાડ સંગમાએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા 32 ધારાસભ્યોના સમર્થન પત્ર રાજ્યપાલને સુપરત કર્યો છે.
નવી દિલ્હી : ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવા માટે પાર્ટીઓએ દાવા રજુ કર્યા છે. મેઘાયલમાં એનસીપી પ્રમુખ કોનરાડ સંગમાએ રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરીને રાજ્યમાં સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો છે.

મેઘાલયના સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ કોનરાડ સંગમાએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા 32 ધારાસભ્યોના સમર્થન પત્ર રાજ્યપાલને સુપરત કર્યો છે. બીજી તરફ મેઘાલય ભાજપના પ્રમુખ અર્નેસ્ટ માવરીએ દાવો કર્યો છે કે, કોનરાડ સંગમા 7 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. અહીં પીએમ મોદી પણ હાજર રહે તેવી શક્યતા છે.
કોનરાડ શર્માએ રાજયપાલને મળવા જતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ બહુમતી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપે અમને પહેલાથી જ સમર્થન આપ્યું છે. રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો કર્યા પછી સંગમાએ ટ્વીટ કરીને માહિતી આપી કે સરકાર બનાવવા માટે ક્યા પક્ષોએ તેમને સમર્થન આપ્યું છે.
કોનરાડ સંગમાના જણાવ્યા અનુસાર, ગઠબંધન કરીને સરકાર બનાવવા માટે NPP, BJP, HSPDP અને 2 અપક્ષ ધારાસભ્યોએ રાજ્યપાલ ફાગુ ચૌહાણને 32 ધારાસભ્યોની સહી કરેલો સમર્થન પત્ર સોંપ્યો. મેઘાલયમાં ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કોનરાડ સંગમાની પાર્ટીને બહુમતી મળી હતી.












Click it and Unblock the Notifications
