Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઓક્ટોબરમાં પાકિસ્તાન જશે વડાપ્રધાન મોદી? વિદેશ મંત્રાલયે આપ્યું નિવેદન

PM Modi Pakistan Visit in Gujarati: ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા શુક્રવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાનના આમંત્રણ અંગે કોઈ અપડેટ નથી.

ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયની સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે, પાકિસ્તાને ભારતીય વડાપ્રધાનને આમંત્રણ મોકલ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પત્રકારોને જણાવ્યું હતું કે, હા, અમને SCO મીટિંગ માટે પાકિસ્તાન તરફથી આમંત્રણ મળ્યું છે. અમારી પાસે તેના પર કોઈ અપડેટ નથી. અમે તમને પરિસ્થિતિ વિશે પછીથી અપડેટ કરીશું.

વિદેશ કાર્યાલયના પ્રવક્તાના નિવેદન અનુસાર, પાકિસ્તાને આ ઓક્ટોબરમાં ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સરકારના વડાઓની કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર રીતે આમંત્રણ આપ્યું છે.

PM Modi Pakistan Visit in Gujarati

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પાકિસ્તાન શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના કાઉન્સિલ ઓફ હેડ ઓફ ગવર્નમેન્ટ (CHG) ના રોટેશનલ અધ્યક્ષ તરીકે ઓક્ટોબરમાં બે દિવસીય SCO સમિટનું આયોજન કરી રહ્યું છે.

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે, 15-16 ઓક્ટોબરે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે દેશોના વડાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનું બનેલું, SCO એ એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા જૂથ છે, જે સૌથી મોટા આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.

આ મુખ્ય પ્રાદેશિક જૂથના ભાગરૂપે, પાકિસ્તાન અને ભારત બંને શિખર બેઠક યોજી શકે છે. ભારતે ગયા વર્ષે SCO સમિટની યજમાની કરી હતી, જે વર્ચ્યુઅલ મોડમાં યોજાઈ હતી અને પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે વીડિયો લિંક દ્વારા હાજરી આપી હતી.

જોકે આ પહેલા જ્યારે ગોવામાં SCO વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી, ત્યારે પાકિસ્તાનના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો તેમાં ભાગ લેવા ભારત આવ્યા હતા.

PM મોદીના પાકિસ્તાન જવાની કેટલી શક્યતાઓ છે? - ઈસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચે વણસેલા સંબંધોનો લાંબો ઈતિહાસ છે, જેનું મુખ્ય કારણ કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી ઉદ્ભવતા સીમાપાર આતંકવાદ છે.

ભારતે સતત જણાવ્યું છે કે, તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઇચ્છે છે, જ્યારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આવા સંબંધો માટે આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી ઇસ્લામાબાદની છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ 2019 ના રોજ ભારતીય સંસદ દ્વારા કલમ 370 નાબૂદ કર્યા પછી પાકિસ્તાને ભારત સાથેના તેના સંબંધોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.

આવા સમયે, એક દિવસ પહેલા, ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાન અંગે બેફામપણે કહ્યું છે કે, સતત વાતચીતનો યુગ પૂરો થયો છે. તેમનું નિવેદન એ સંકેત હોઈ શકે છે કે, ભારતે હવે પાકિસ્તાનને મહત્વ આપવાનું બંધ કરી દીધું છે.

વડાપ્રધાન મોદી વર્ષ 2015માં અચાનક પાકિસ્તાન પહોંચી ગયા હતા, અને તેમની પાકિસ્તાનની મુલાકાત એ વાતનો સંકેત હતો કે, ભારતે ફરી એકવાર બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદમાં કોઈ ઘટાડો થયો નથી.

છેલ્લી વખત જ્યારે ભારતમાં SCO સમિટ યોજાઈ હતી, ત્યારે મોદી સરકારે તેનું વર્ચ્યુઅલ આયોજન કર્યું હતું, અને તેની પાછળનું એક કારણ એ હતું કે, જો વડાપ્રધાન શાહબાઝ ભારત આવ્યા હોત, તો મીડિયાનું ધ્યાન SCO પરથી તેમની ભારત મુલાકાત તરફ ગયું હોત.

જેવી રીતે બિલાવલ ભુટ્ટોની મુલાકાત વખતે થયું હતું, અને એવું માનવામાં આવતું હતું કે, ભારત આ પ્રકારનું નાટક રચવા માંગતું નથી, અને તેથી વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ્યે જ પાકિસ્તાનની મુલાકાત લેશે, અને વધુ આશા છે કે તેઓ આ સમિટમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X