India-China Row: ભારતીય સેનાએ ચીનને પાછો આપ્યો તેનો સૈનિક
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે કહ્યુ છે કે ભારતીય સેનાએ તેને ચીની સૈનિક પાછો આપી દીધો છે
નવી દિલ્લીઃ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે કહ્યુ છે કે ભારતીય સેનાએ તેને ચીની સૈનિક પાછો આપી દીધો છે કે જે ડેમચોક સેક્ટરમાં ભટકીને ભારતીય સીમામાં ઘૂસી આવ્યો હતો. ટાઈમ્સે આ વિશે એક ટ્વિટ કર્યુ છે જેમાં તેણે કહ્યુ છે કે રવિવારે ઈન્ડો-ચાઈના સીમા પાસે યાકને શોધવામાં મદદ કરવા દરમિયાન ગુમ થયેલ પીએલએ સૈનિકને બુધવારે સવારે ભારતીય સેના દ્વારા ચીની સીમા સૈનિકોને પાછો આપી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે ચીની સૈનિક કૉર્નોરલ વાંગ હાં લૉન્ગ, ડેમચોકમાં પકડાઈ ગયો હતો અને એવા સમાચાર આવ્યા હતા કે ભારત તેને મુક્ત કરવા જઈ રહ્યુ છે પરંતુ ચીની પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ) ને પાછો સોંપતા પહેલા તેની પૂછપરછ કરવામાં આવી છે. સેનાએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે ચીની સૈનિક કૉર્નોરલ વાંગ હાં લૉન્ગને વધુ ઉંચાઈ અને કઠોર જળવાયુ પરિસ્થિતિઓથી બચાવવા માટે ઑક્સિજન, ભોજન અને ગરમ કપડાં સહિત ચિકિત્સા આપવામાં આવી છે. પીએલએ દાવો કર્યો હતો કે તેનો એક સૈનિક ભરવાડને યાક શોધવામાં મદદ કરતી વખતે રાતે ગુમ થઈ ગયો હતો અને આ દરમિયાન તે ભારતીય સીમામાં આવી ગયો.

તમને જણાવી દઈએ કે નિયમ મુજબ શાંતિ કાળમાં જ્યારે પણ કોઈ દેશનો સૈનિક બીજા દેશમાં મળે તો સૌથી પહેલા તેની તપાસ કરવામાં આવે કારણકે આવી પરિસ્થિતિઓમાં સૌથી વધુ ડર જાસૂસીનો હોય છે. ત્યારબાદ પકડાઈ ગયેલ વ્યક્તિની ઓળખ જાણવામાં આવે છે અને ત્યારબાદ તેના પકડાયાની સૂચના બીજા પક્ષને આપવામાં આવે છે. જ્યારે યુદ્ધ કે ટકરાવની સ્થિતિમાં યુદ્ધમાં શામેલ કે કોઈ સામાન્ય સૈનિકને જો વિરોધી દેશ કોઈ સૈનિક કાર્યવાહી બાદ પકડે તો તે દેશ તેને યુદ્ધબંધી તરીકે રાખી શકે છે. માટે કહેવામાં આવી રહ્યુ છે કે ભલે હાલમાં ભારત-ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો હોય પરંતુ અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ નથી માટે ભારતીય સેનાએ આંતરરાષ્ટ્રીય કાયદા કાનૂનનુ સમ્માન કરીને આ ચીની સૈનિકને મુક્ત કરવાનો નિર્ણય લીધો.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
