મોદી સરકાર મહિલા અનામતને ટાળી રહી છે, સરકાર જાતીગત વસ્તી ગણતરી કરાવે-રાહુલ ગાંધી
સંસદના વિશેષ સત્રમાં મહિલા અનામત બિલને સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાવી દેવામાં આવ્યુ છે. આ બિલને લઈને કોંગ્રેસ ઓબીસી અનામતની માંગ કરી રહી છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ફરીથી બીજેપી પર આકરા પ્રહાર કર્યા છે.
સાંસદ રાહુલ ગાંધીએ મહિલા અનામત બિલ અને જાતિ ગણતરીને લઈને મીડિયા સાથે વાત કરી હતી. અહીં તેમણે દાવો કર્યો કે, આજે મહિલા આરક્ષણ લાગુ થઈ શકે છે, પરંતુ મોદી સરકાર તેને સ્થગિત કરી રહી છે. આ સિવાય તેમણે આ બિલની ખામીઓ પણ જણાવી.

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, મહિલા અનામત બિલ સારું છે પરંતુ અમને બે ખામીઓ મળી છે. આ પ્રથમ વસ્તી ગણતરી અને બીજું સીમાંકન છે. આ કામ કરવામાં ઘણા વર્ષો લાગશે. સત્ય એ છે કે અનામતનો અમલ આજે જ થઈ શકે છે. આ કોઈ જટિલ બાબત નથી, પરંતુ સરકાર આ કરવા માંગતી નથી.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, સરકારે તેને દેશ સમક્ષ રજૂ કર્યું છે પરંતુ હવેથી 10 વર્ષ બાદ તેનો અમલ કરવામાં આવશે. આનો અમલ થશે કે નહીં તે કોઈને ખબર નથી. આ એક ભ્રામક વ્યૂહરચના છે.
તેમણે મોદી સરકાર પર OBC સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીના મતે કેન્દ્રના 90 સચિવોમાંથી માત્ર 3 સચિવ ઓબીસી છે. પીએમ મોદી કહે છે કે તે ઓબીસી માટે ઘણું કામ કરી રહ્યા છે પરંતુ તે ખોટું બોલી રહ્યા છે. તેમણે ઓબીસી માટે કંઈ કર્યું નથી.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે જાતિની વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી અને કહ્યું કે, તેનાથી જાણી શકાય કે દેશમાં OBC અને અન્ય જાતિઓની વસ્તી કેટલી છે. તેઓને સમાન ધોરણે ભાગીદારી આપી શકાય.
રાહુલ ગાંધીએ અહીં એ પણ કહ્યું કે, મેં માત્ર આ સવાલ પૂછ્યો હતો કે શું ભારતમાં ઓબીસીની વસ્તી 5% છે? જો નહીં તો ભારતમાં કેટલા ઓબીસી છે અને તેમને કેટલી ભાગીદારી મળવી જોઈએ? ભાજપે વસ્તી ગણતરી અને સીમાંકન દૂર કરીને મહિલાઓને ભાગીદારી આપવી જોઈએ. વસતી ગણતરી અંગે અમે જે ડેટા એકત્રિત કર્યો હતો તેને સાર્વજનિક કરો. જેથી દરેકને ખબર પડી શકે કે ત્યાં કેટલા OBC છે અને જાતિના આધારે નવી વસ્તી ગણતરી હાથ ધરી શકાય.
બીજી તરફ રાહુલ ગાંધીએને સવાલ કરાયો કે શું તેમને અફસોસ છે કે 2010માં યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવેલા બિલમાં ળ ઓબીસી ક્વોટા આપવામાં આવ્યો ન હતો. તેના પર તેમણે કહ્યું કે, 100 ટકા અફસોસ છે. આ તે સમયે થવું જોઈતું હતું અને હવે અમે તે પૂર્ણ કરીને છોડીશું.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
