મોદી રાષ્ટ્રીય નેતાના રૂપમાં સ્વીકાર્ય નથી : નવીન પટનાયક
નવી દિલ્હી, 12 જૂન : રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગને લઇને દિલ્હીમાં રેલી કરી રહેલા બીજૂ જનતા દળ સુપ્રીમો નવીન પટનાયકે કહ્યું કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નેતા તરીકે સ્વીકાર કરી શકાય નહી, કારણ કે 2002માં થયેલા રમખાણોને ભૂલાવી દેવું સંભવ નથી. તેમણે ભાજપા અને કોંગ્રેસ બંને પાર્ટીઓની સાથે આવવાનો ઇનકાર કરી દીધો હતો.
બીજદ રેલીનું આયોજન દિલ્હીમાં કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય પોતાની હાજરી નોંધાવવાનો છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે નવીન પટનાયક ભાજપ અને કોંગ્રેસની સાથે નહી જઇને અન્ય પાર્ટિઓની સાથે મળાવવા અને વધુમાં વધુ લાભ ખાટવા માટે આવું કરી રહ્યા છે. તેમજ રાષ્ટ્રીય પાર્ટિઓ તેમને પોતાના સંભંવિત સાથીના રૂપમાં જોઇ રહ્યા છે.
એવું માનવામાં આવી રહ્યું હતું કે જો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે તો નીતિશ કોંગ્રેસની સાથે આવી શકે છે. વિશેષ રાજ્યના દરજ્જાની માંગને લઇને અને પોતાની ઉપસ્થિતિ નોંધાવવા નવીને આ રેલીનું આયોજન કર્યું છે.