મોદીજી તમે PM ઓફિસની ગરીમાને ઠેસ પહોંચાડી, પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો નરેન્દ્ર મોદીને પત્ર
દેશના વડાપ્રધાન પદે રહીને સડકછાપ નિવેદનો આપી રહેલા નરેન્દ્ર મોદીને પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પત્ર લખીને ગરીમા યાદ કરાવી છે.
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહે લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાના મતદાન પહેલા મતદારોને ખાસ અપીલ કરી છે તો બીજી તરફ તેમણે પીએમ નરેન્દ્ર મોદીની ટિપ્પણીઓ પર આકરો જવાબ આપ્યો છે.

મનમોહન સિંહે નરેન્દ્ર મોદીની ભાષા અને નીતિઓ માટે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે. એક પત્ર જારી કરીને મનમોહન સિંહે પંજાબના લોકોને બીજી ઘણી વાતો કહી.
ડૉ. મનમોહન સિંહે કહ્યું કે, મારા વ્હાલા સાથી નાગરિકો, ભારત નિર્ણાયક તબક્કે ઊભું છે. મતદાનના અંતિમ તબક્કામાં આપણી પાસે એક નિરંકુશ શાસનનો અંત કરીને આપણી લોકશાહી અને આપણા બંધારણને બચાવવાની છેલ્લી તક છે.
પંજાબ અને પંજાબીઓ યોદ્ધા છે. આપણે આપણી બલિદાનની ભાવના માટે જાણીતા છીએ. લોકશાહી પ્રણાલીમાં આપણી સૌહાર્દ, સંવાદિતા અને જન્મજાત શ્રદ્ધા આપણા મહાન રાષ્ટ્રનું રક્ષણ કરી શકે છે.
મનમોહન સિંહે પોતાના પત્રમાં કહ્યું કે, હું આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ચર્ચાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છું. મોદીજીએ ઘણાં ઘૃણાસ્પદ ભાષણો આપ્યા છે, જે સંપૂર્ણપણે વિભાજનકારી છે. મોદીજી એવા પ્રથમ વડાપ્રધાન છે જેમણે આ પદની ગરિમા અને તેની સાથે વડાપ્રધાન પદની ગંભીરતા ઘટાડી છે.
આ પહેલા કોઈ પણ વડાપ્રધાને કોઈ ચોક્કસ વર્ગ કે વિપક્ષને નિશાન બનાવવા માટે આવી ઘૃણાસ્પદ, અસંસદીય અને નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કર્યો નથી. તેમણે મારા વિશે કેટલાક ખોટા નિવેદનો પણ આપ્યા છે. મેં મારા જીવનમાં ક્યારેય એક સમુદાયને બીજાથી અલગ કર્યો નથી. આ ભાજપનો વિશેષ અધિકાર અને આદત છે.
મનમોહન સિંહે આગળ લખ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે પંજાબ અને પંજાબિયતને બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી. પંજાબના 750 ખેડૂતો શહીદ થયા છે.
ખેડૂતો મહિનાઓ સુધી દિલ્હીની સરહદે રાહ જોતા રહ્યા. સરકારે તેમના પર હુમલો કર્યો. સંસદમાં ખેડૂતોને આંદોલનજીવી અને પરોપજીવી કહેવામાં આવ્યા.
મોદીજીએ 2022 સુધીમાં આપણા ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેનાથી વિપરીત 10 વર્ષમાં ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે. ખેત પરિવારોની બચતનો નાશ કર્યો અને તેમને હાંસિયામાં ધકેલી દીધા.
આ વખતે કોંગ્રેસ પાર્ટીના ઢંઢેરામાં ખેડૂત ન્યાય અંતર્ગત 5 ગેરંટી છે. કોંગ્રેસે MSPની કાનૂની ગેરંટી, કૃષિ માટે સ્થિર નિકાસ-આયાત નીતિ, લોન માફી અને અન્ય ઘણી જાહેરાતો જાહેર કરી છે.
“In the past ten years, the BJP government has left no stone unturned in castigating Punjab, Punjabis and Punjabiyat.
— Congress (@INCIndia) May 30, 2024
750 farmers, mostly belonging to Punjab, were martyred while incessantly waiting at Delhi borders, for months together. As if the lathis and the rubber bullets… pic.twitter.com/xJZQrsT3f8
મનમોહન સિંહે પોતાના પત્રમાં મોદી સરકારની નીતિઓની ટીકા કરી. તેમણે લખ્યું કે, છેલ્લા 10 વર્ષમાં દેશની અર્થવ્યવસ્થામાં અકલ્પનીય ઉથલપાથલ જોવા મળી છે.
નોટબંધી, GSTનો ખોટો અમલ, કોરોનાને કારણે લોકડાઉનના નિર્ણયથી દયનીય સ્થિતિ સર્જાઈ છે. ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન સરેરાશ જીડીપી વૃદ્ધિ દર 6 ટકાથી ઓછો રહ્યો છે, જ્યારે કોંગ્રેસ-યુપીએના કાર્યકાળ દરમિયાન તે 8 ટકાની આસપાસ હતો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા









Click it and Unblock the Notifications
