For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુસ્તકો પાછળ નરેન્દ્ર મોદીનો હાથ છે : દિગ્વિજય સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 એપ્રિલ: વડાપ્રધાન મનમોહન સિંહને નબળા વડાપ્રધાન ગણાવનાર પુસ્તકો પર આખરે કોંગ્રેસે પોતાની ચુપકીદી તોડી છે. કોંગ્રેસે આ તમામની પાછળ ભાજપનું ષડયંત્ર હોવાનું ગણાવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે આરોપ લગાવતા જણાવ્યું કે મનમોહનને નબળા વડાપ્રધાન ગણાવનાર પુસ્તકો પાછળ મોદીનો હાથ છે.

દિગ્વિજય સિંહે આરોપ લગાવતા જણાવ્યું છે કે ચૂંટણી મોસમમાં આવી રહેલા આ પુસ્તકો પાછળ નરેન્દ્ર મોદીનો હાથ છે. તેમણે જણાવ્યું છે કે મનમોહનને નબળા વડાપ્રધાન ગણાવનાર બારુ અને પારખના પુસ્તકોને વાંચશે કોણ? કોંગ્રેસે પુસ્તકોના અનાવરણના સમય પર પણ સવાલ ઉઠાવ્યા છે.

digvijay singh
જ્યારે ભાજપનું કહેવું છે કે કોણપણ પુસ્તક માટે તેના અનાવરણનો સમય નહીં પરંતુ તેના લખાણનું મહત્વ હોય છે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ વડાપ્રધાન પાસે એ બાબતનો જવાબ માંગ્યો છે કે કોલસા કૌભાંડ સમયે તેઓ ચુપ કેમ રહ્યા, જ્યારે તે સમયે કોલસા મંત્રાલયનો પ્રભાર તેમની પાસે જ હતો. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીનું કહેવું છે કે પૂર્વ કોલસા સચિવ પીસી પારખે પોતાના કાર્યકાળમાં કેમ ના કર્યું, નિવૃત્ત થતા જ આ બધી વસ્તુઓની યાદ કેવી રીતે આવી ગઇ.

અત્રે ઉલ્લેખનીય છે કે સંજય બારુએ પોતાના પુસ્તકમાં મનમોહન સિંહને નબળા વડાપ્રધાન ગણાવ્યા હતા, જ્યારે આજે લોન્ચ થઇ રહેલા પુસ્તકમાં પીસી પારખે મનમોહન સિંહને ઓછા અધિકારવાળા વડાપ્રધાન ગણાવ્યા છે.

English summary
Accusing Narendra Modi of lying on the issue of his marital status, Congress leader Dijvijay Singh today demanded that the Election Commission lodge a criminal case against him for giving "false affidavit" while contesting elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X