મોદીએ ઘડી 'મિશન વિધાનસભા'ની રણનીતિ!
નવી દિલ્હી, 31 મે: ભાજપ મહાસચિવની સાથે નરેન્દ્ર મોદીની વડાપ્રધાન નિવાસસ્થાને બેઠક પૂરી થઇ ગઇ છે. આ બેઠક લગભગ એક કલાક 15 મિનિટ સુધી ચાલી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં મોદી લોકસભા ચૂંટણીમાં મળેલી બંપર સફળતાને વિધાનસભા ચૂંટણીમાં યથાવત રાખવા માટે પાર્ટી મહાસચિવો સાથે ચર્ચા કરવામાં આવી.
અત્રે નોંધનીય છે કે થોડા મહિના બાદ જ હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, દિલ્હીમાં પણ ચૂંટણીને લઇને ટૂંક સમયમાં નિર્ણય થવા જઇ રહ્યો છે. જોકે હરિયાણા અને મહારાષ્ટ્ર બંને જ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે, એવામાં દેશભરમાં ભાજપના પક્ષમાં જે માહોલ બન્યો છે, મોદી તેના દમ પર વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપનો પરચમ લહેરાવવાનો પૂરજોશમાં કોશીશ કરશે. એનું જ પરિણામ હતું કે મોદી તેના દમ પર વિધાનસભા ચૂંટણીઓમાં પણ ભાજપ લહેરાવવાની પૂરજોશમાં તૈયારી કરવાની કોશીશ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાની ચૂંટણીમાં શાનદાર પ્રચાર પ્રચાર કર્યા બાદ વિજય મેળવ્યો અને ત્યારબાદ તુરત લોકસભાની ચૂંટણીમાં પણ તેમની પ્રચાર નીતિ સૌની સામે છે. હવે મોદી બાકીના રાજ્યોમાં પણ ભાજપ શાસિત રાજ્યોમાં ફેરવવા માટે અથાગ પ્રયોત્નો અને અલાયદી રણનીતિ ઘડે તેમાં કોઇ બેમત નથી નથી.