ઉત્તરાખંડ તારાજીમાં ગુમ પત્નીના ગમે મંત્રીજીનો લીધો જીવ
ઉત્તરાખંડમાં ગત મહિને આવેલા પ્રલય બદ તેમની પત્ની અને બે સંબંધી ગુમ હતા. ગત 3 જુલાઇના રોજ મંત્રીજી પોતાની પત્નીને મૃત માનીને શાંતિ પાઠ કરાવ્યો હતો. તે ત્યારથી આધાતમાં હતા. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે 9 વાગે કરનાલ સ્થિત પોતાના નિવાસ્થાને તેમને અચાનક છાતીમાં દુખાવાની સમસ્યા થઇ. જેથી તેમને તાત્કાલિક દિલ્હીના મેક્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણાના રાજકારણમાં તેજિંદર પાલ માન પરિવારની શરૂઆતની ઘણી પ્રતિષ્ઠા હતી. તેજિંદર પાલ માન 1991માં ભજનલાલ સરકારમાં મંત્રી રહી ચૂક્યાં છે. વર્ષ 2005ની ચૂંટણીમાં તેમને અપક્ષ તરીકે પાયીથી જીત મેળવી હતી અને ગત ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિત પર કલાયતથી હારી ગયા હતા. ચંદીગઢથી બીઇ ગોલ્ડ મેડાલીસ્ટ રહી ચૂકેલા તેજેન્દ્ર પાલ માનની ઓળખ રાજકારણમાં એક ઇમાનદારના નેતાના રૂપમાં હતી. હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સોમવારે કરનાલ જઇને દિવંગત માનના પરિવારજનોને મળ્યા હતા અને શોક પ્રગટ કર્યો હતો.