8.81 લાખથી વધુ ભારતીયોએ છોડી નાગરિકતા, સરકારે આપી વિગતો
કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી છે કે, છેલ્લા સાત વર્ષમાં 8.81 લાખથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે.
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી છે કે, છેલ્લા સાત વર્ષમાં 8.81 લાખથી વધુ લોકોએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી છે. ગૃહ મંત્રાલયે લોકસભામાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સાંસદ કોથા પ્રભાકર રેડ્ડીના એક પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી છે. આ મુજબ 'વિદેશ મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, 30 સપ્ટેમ્બર, 2021 સુધી છેલ્લા સાત વર્ષમાં 8,81,254 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી છે.'
આ સંબંધમાં ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી સંપૂર્ણ વિગતો અનુસાર 2019માં સૌથી વધુ સંખ્યામાં ભારતીયોએ તેમની નાગરિકતાનો ત્યાગ કર્યો હતો અને 2020માં આમ કરનારા લોકોની સંખ્યા સૌથી ઓછી હતી, જે કોવિડ મહામારીને કારણે હોવાનું માનવામાં આવે છે.
આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં 1,11,287 લોકોએ છોડી દીધી છે નાગરિકતા
ગૃહ મંત્રાલયની માહિતી અનુસાર, વર્ષ 2015માં કુલ 1,31,489 ભારતીયોએ તેમની નાગરિકતા છોડી દીધી હતી.
2016માં 1,41,603, 2017માં 1,33,049, 2018માં1,34,561, 1,491,174, 2020માં 85,248 અને આ વર્ષે 30, સપ્ટેમ્બર સુધીમાં 1,11,287 લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી છે.
ટીઆરએસ સાંસદ રેડ્ડીએ પણ તેમનાપ્રશ્નમાં પૂછ્યું હતું કે, શું નાગરિકતા છોડવાની પ્રક્રિયા હળવી કરવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, આ પ્રક્રિયાને સામાન્ય બનાવવા માટેઆ વર્ષે ઓગસ્ટથી એક ઓનલાઈન પોર્ટલ એક્ટિવ કરવામાં આવ્યું છે.
રાયે કહ્યું કે, 'નાગરિકતા અધિનિયમ, 1955ની કલમ 8 હેઠળ ભારતીય નાગરિકતા માફ કરીશકાય છે, જે નાગરિકતા નિયમો, 2009ના નિયમ 23 સાથે વાંચવામાં આવે છે'.
વિદેશમાં રહે છે 100 લાખથી વધુ ભારતીયો
ગૃહ રાજ્ય મંત્રીએ એ પણ માહિતી આપી કે, 2016 અને 2020 ની વચ્ચે, 10,645 વિદેશી નાગરિકોએ ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે, જેમાં સૌથી વધુ સંખ્યાપાકિસ્તાન (7,782) અને અફઘાનિસ્તાન (795) છે. તેમણે બીજી મોટી માહિતી આપી કે, હાલમાં 100 લાખથી વધુ ભારતીયો અન્ય દેશોમાં રહે છે.
હજૂ સૂચિત કરવાના બાકી છે CAA પરના નિયમો
કેન્દ્ર સરકાર તરફથી આ માહિતી એવા સમયે આવી છે, જ્યારે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, દેશભરમાં નેશનલ રજિસ્ટર ફોર સિટિઝન્સ (NRC) તૈયાર કરવા અંગે નિર્ણયલેવાનો બાકી છે.
જો કે, સરકારે કહ્યું છે કે, જે લોકો CAAના કાર્યક્ષેત્રમાં આવે છે તેઓ તેના નિયમો સૂચિત થયા બાદ અરજી કરી શકે છે. જો કે આ કાયદો 10જાન્યુઆરી, 2020થી અમલમાં આવ્યો છે, પરંતુ તેના માટેના નિયમો તૈયાર કરવા માટે મોદી સરકારે જાન્યુઆરી 2022 સુધીનો સમય માંગ્યો છે.
ઉલ્લેખનીય છે કે, CAA વિરુદ્ધ દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનના સૌથી ખરાબ દ્રશ્યો 2020ની શરૂઆતમાં દિલ્હીના રમખાણોમાં જોવા મળ્યા હતા.
આ કાયદા હેઠળ31 ડિસેમ્બર, 2014 પહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતાઆપવાની જોગવાઈ છે, પરંતુ તેના વિરોધીઓ તેને ગેરબંધારણીય ગણાવવામાં વ્યસ્ત છે.