MP Election Result: હાર બાદ કમલનાથ દેશે રાજીનામુ કે લેશે સંન્યાસ, જાણો
MP Election Result: મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી છે. જ્યાં કોંગ્રેસને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે કોંગ્રેસની હારના ઘણા કારણો જણાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ કમલનાથના નેતૃત્વમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી. જે બાદ નજીવી બેઠકો હારવાને કારણો જાણવા માટે મંથન કરવામાં આવી રહ્યું છે.
હવે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથના રાજકીય ભવિષ્યને લઈને સંકટ ઘેરી બની રહ્યું છે, જ્યાં રાજકીય નિષ્ણાતોનું માનીએ તો, મધ્ય પ્રદેશમાં મોટી હાર બાદ કમલનાથ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આવા સમયે, હાઈકમાન્ડ હાર પર વિચાર-વિમર્શ કર્યા પછી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કમલનાથને ચાલુ રાખવા પર પણ વિચારણા થઈ શકે છે.

આ સાથે વધતી ઉંમર સાથે શું કમલનાથ રાજકારણમાંથી નિવૃત્તિ લેવા વિશે વિચારી શકે છે? આ અંગે રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં મળેલી મોટી હારની સમીક્ષા કરવા માટે કોંગ્રેસે ટૂંક સમયમાં રાજધાની ભોપાલમાં નેતાઓ અને અધિકારીઓની એક મોટી બેઠક બોલાવી છે, જેમાં વિવિધ રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, જ્યારે મધ્ય પ્રદેશમાં હાર પર રાજધાની દિલ્હીમાં હાઈકમાન્ડ પણ વિચારણા કરશે.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કમલનાથના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડી હતી. આ જ કારણ છે કે, રાજકીય નિષ્ણાતો આ હારની જવાબદારી કમલનાથના ખભા પર નાખી રહ્યા છે. એટલું જ નહીં રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મધ્ય પ્રદેશમાં મોટી હાર બાદ કમલનાથ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી શકે છે, અને રાજકારણમાંથી નિવૃત્તિ લેવા અંગે પણ વિચારી શકે છે.
મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 163 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. એટલું જ નહીં, રાજ્યના વિવિધ ભાગોમાં કોંગ્રેસને મોટી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યાં ઈન્દોરની તમામ 9 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસને હાર મળી છે, જ્યારે માલવા-નિમાર ક્ષેત્રમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખાસ રહ્યું નથી.
માલવા-નિમાર ક્ષેત્રમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. હવે ટૂંક સમયમાં રાજધાની ભોપાલમાં કોંગ્રેસ દ્વારા એક મોટી બેઠક બોલાવવામાં આવી રહી છે, જેમાં હારના કારણો જાણવામાં આવશે, અને આગામી કાર્યક્રમો માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
