Madhya Pradesh Opinion Poll: મધ્ય પ્રદેશના 'નાથ' બનશે 'કમલ' કે 'શિવ'નુ થશે 'રાજ'? જાણો શું કહે છે આ સર્વે
Madhya Pradesh Opinion Poll: મધ્યપ્રદેશમાં છેલ્લા 18 વર્ષથી 'શિવરાજ મામા'નું શાસન છે, જો કે વર્ષ 2018માં કોંગ્રેસના કમલનાથ 15 મહિના માટે સત્તા પર બિરાજમાન થઈ ગયા હતા, પરંતુ આ શાસન લાંબું ન ચાલ્યું અને ફરી એકવાર અહીં સત્તા આવી. પરંતુ આ વખતે ભાજપના શિવરાજ સિંહ ફરી ચમત્કાર કરી શકશે કે કોંગ્રેસના કમલનાથ કોઈ મોટો ચમત્કાર કરશે?
આ પ્રશ્ન દરેકના મનમાં ઘૂમી રહ્યો છે અને તેનો જવાબ જાણવા એનડીટીવી CSDS-લોકનીતિએ એક સર્વે કર્યો, જેમાં તેણે લોકોના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો.

આ સર્વે 30 વિધાનસભા મતવિસ્તારોમાં કરવામાં આવ્યો હતો, જે જનતાના સીધા પ્રશ્નો પર આધારિત છે. જેમાં જનતાને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને મોટાભાગના પ્રશ્નોના જવાબમાં જનતાએ ભાજપને પસંદ કર્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 2020-2023 સુધી ભાજપની સરકાર છે.
શિવરાજ સરકારથી જનતા સંતુષ્ટ છે કે નહિ તે સવાલના જવાબમાં 61 ટકા લોકોએ જવાબ આપ્યો કે તેઓ શિવરાજ સરકારથી સંપૂર્ણ સંતુષ્ટ છે અને તેમને તેનાથી કોઈ વાંધો નથી, જ્યારે 18 ટકા લોકો અસંતુષ્ટ છે અને 21 ટકા લોકો એવા છે જેઓ આ વિશે કંઈ કહી શકતા નથી.
મધ્ય પ્રદેશની જનતા કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે તેવા સવાલના જવાબમાં રાજ્યના 38 ટકા લોકોએ કહ્યું કે શિવરાજ સિંહ સીએમ પદ માટે તેમની પહેલી પસંદ છે, જ્યારે 34 ટકા લોકો કમલનાથને સીએમ બનતા જોવા ઈચ્છે છે. જ્યારે 28 ટકા લોકોએ કશું કહ્યું નહીં.
તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે મતદાન થશે અને 3 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. 2018માં ભાજપ કે કોંગ્રેસને બહુમતી મળી નથી. ત્યારે કોંગ્રેસને 114 બેઠકો, ભાજપને 109 બેઠકો, બસપાને 2 બેઠકો, સપાને 1 બેઠક અને અપક્ષોને 4 બેઠકો મળી હતી.












Click it and Unblock the Notifications
