MP : મોહન યાદવને મુખ્યમંત્રી બનાવાયા બાદ શિવરાજ સિંહે શું કહ્યું?

વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત બાદ બીજેપીએ એક અઠવાડીયાથી વધુ સમયના વિચાર વિમર્શ બાદ આખરે સીએમની જાહેરાત કરી દીધી છે.

બીજેપીએ મધ્ય પ્રદેશની કમાન મોહન યાદવને સોંપી છે. મોહન યાદવને ખુરશી સોંપાતા રાજ્યમાં મામા શિવરાજ સિંહની ખુરશી છીનવાઈ છે. આ જાહેરાત બાદ શિવરાજ સિંહનું ચૌહાણનું નિવેદન સામે આવ્યુ છે.

Mohan Yadav

મધ્યપ્રદેશના સીએમ તરીકે મોહન યાદવની ચૂંટણી પર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેઓ મધ્યપ્રદેશને પ્રગતિ અને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે અને ક્ષેત્રમાં નવા રેકોર્ડ બનાવશે.

તેમણે કહ્યું કે, આ નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન. તમને જણાવી દઈએ કે બીજેપી વિધાનમંડળ દળની બેઠકમાં મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી છે.

Mohan Yadav

58 વર્ષીય મોહન યાદવની રાજકીય કારકિર્દી 1984 માં શરૂ થઈ, તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને આરએસએસના સભ્ય પણ છે. તે 2013માં ઉજ્જૈન દક્ષિણથી ચૂંટણી લડ્યા અને સતત ત્રીજી ચૂંટણીમાં અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. આ વખતે તેમણે કોંગ્રેસના ઉમેદવાર ચેતન પ્રેમનારાયણ યાદવને 12941 મતોથી હરાવ્યા. મોહન યાદવને 95699 વોટ મળ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X