Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

18 ઓક્ટોબરે મુંબઈ એરપોર્ટ 6 કલાક માટે બંધ રહેશે, જાણો શું છે કારણ?

મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેન્ટેનસ માટે 6 કલાક માટે બંધ રહેશે. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 18 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એરપોર્ટ નોન-ઓપરેશનલ રહેશે.

મુંબઈ : મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મેન્ટેનસ માટે 6 કલાક માટે બંધ રહેશે. એરપોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 18 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી એરપોર્ટ નોન-ઓપરેશનલ રહેશે.

Mumbai airport

એરપોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે, જે આખા વર્ષ દરમિયાન ઝીણવટપૂર્વક આયોજિત રીતે કામ કરી રહ્યું છે. એરપોર્ટને ચાલુ રાખવા માટે CSMIA ની કામગીરી, મંગળવાર ઑક્ટોબર 18, 2022 ના રોજ હાથ ધરાશે, તેના બંને રનવે - RWY 14/32 અને 09/ ને રિપેર અને જાળવણીના કામ માટે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી બંધ કરવાની ફરજ પડી છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, રનવે સર્કલ પર ચોમાસા પછીની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં એજીએલને અપગ્રેડ કરવા અને રનવે 14/32 માટે રનવે એજ લાઇટ્સ ઇન્સ્ટોલ કરવા જેવી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X