મુંબઈ બ્રિજ દૂર્ઘટના પર શરૂ થયુ રાજકારણ, કોંગ્રેસે પિયુષ ગોયલનું માંગ્યુ રાજીનામુ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CMST) પાસે એક ફૂટઓવર બ્રિજ પડી ગયો જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CMST) પાસે એક ફૂટઓવર બ્રિજ પડી ગયો જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 33 અન્ય ઘાયલ થયા છે. દૂર્ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગે બની. આ દૂર્ઘટના બાદ રાજકારણ શરૂ થઈ ગયુ. રાજકીય પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસે મુંબઈમાં એક ફૂટઓવર પુલના પડી જવાની ઘટના પર ગુરુવારે દુખ વ્યક્ત કર્યુ અને કહ્યુ કે વારંવાર બની રહેલી આવી દૂર્ઘટનાઓની જવાબદારી લઈને રેલવે મંત્રી પિયુષ ગોયલે રાજીનામુ આપી દેવુ જોઈએ અથવા તેમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.

રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યુ કે મુંબઈ બ્રિજ દૂર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયુ. મારી સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે. તેમણે કહ્યુ, આશા કરુ છુ કે પ્રશાસન ત્વરિત પગલાં લેશે અને ઘાયલોને તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવશે. તેમણે હાલના અમુક વર્ષોમાં ફૂટઓવર પુલોના પડી જવાની ઘટનાઓનો હવાલો આપીને આરોપ લગાવ્યો કે વારંવાર બની રહેલ દૂર્ઘટના માટે મોદી સરકાર અને મહારાષ્ટ્ર સરકાર જવાબદાર છે. સૂરજેવાલાએ કહ્યુ, 'ઑડિટ સાથે જોડાયેલા રેલવેમંત્રીના મોટા મોટા દાવા વાંરવાર ખોટા સાબિત થયા છે. પિયુષ ગોયલે રાજીનામુ આપી દેવુ જોઈએ કે પછી તેમને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.'
વળી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મુંબઈ બ્રિજ દૂર્ઘટનાના શિકાર લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વળી, પીએમ મોદી અને ભાજપ સરકાર પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યુ કે મુંબઈમાં પુલ પડવાથી ઈજાગ્રસ્ત થયેલા લોકો પ્રત્યે ગાઢ સંવેદના. મુંબઈમાં પુલ પડી જવાની મોટી દૂર્ઘટનાઓ સતત બની રહી છે. આ બુલેટ ટ્રેનવાળી સરકારની નિષ્ફળતા છે. તે પુલોની સેફ્ટી ઑડિટને ગંભીરતાથી નથી લઈ રહી. કદાચ ભાજપ માટે સામાન્ય જનતાની જિંદગીની કોઈ કિંમત નથી.
AIMIM ના ધારાસભ્ય વારિસ પઠાણે આ દર્દનાક ઘટના માટે સરકારને જવાબદાર ગણાવી છે. પઠાણે કહ્યુ કે સરકાર ઘણા મહિનાઓથી નજરઅંદાજ કરી રહી છે. આ દૂર્ઘટના બેજવાબદારીને કારણે બની છે. આ બ્રિજના રિપેરિંગ માટે ઘણી વાર અપીલ કરવામાં આવી પરંતુ અમારી અપીલને નજરઅંદાજ કરવામાં આવી.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
