For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઝફ્ફર નગર રમખાણ: આઝમ ખાનને અલ્હાબાદ હાઇકોર્ટની નોટિસ

|
Google Oneindia Gujarati News

azam Khan
અલ્હાબાદ, 10 ઓક્ટોબર: અલ્હાબાદ હાઇકોર્ટે મુઝફ્ફરનગર જિલ્લામાં એ પોલીસ સ્ટેશનના પ્રભારીના સસ્પેન્સન પર રોક લગાવી દીધી છે, જ્યાંથી બે યુવકોની હત્યાના સાત આરોપીઓને છોડ્યા બાદ સાંપ્રદાયિક હિંસા ભડકી ગઇ હતી.

આની સાથે જ હાઇકોર્ટે આ આરોપિયોની મૂક્તિ માટે કથિત રીતે દબાણ બનાવવાના મામલે ઉત્તર પ્રદેશના મંત્રી આઝમ ખાનને નોટિસ જારી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષ રમખાણો માટે આઝમ ખાનને જવાબદાર ગણાવી રહી છે.

ન્યાયમૂર્તિ સુધીર અગ્રવાલે ફુગાનાના પોલીસસ્ટેશન પ્રભારી ઓમ વીર સિંહ સિરોહીના સસ્પેન્સન પર રોક લગાવી દીધી અને ખાનને જણાવ્યું કે તે નોટિસ મળવાના દસ દિવસની અંદર તે પોતાનું સોગંધનામુ દાખલ કરે. રાજ્ય સરકારને બે અઠવાડિયાની અંદર જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.

અરજીકર્તાએ જણાવ્યું હતું કે બે યુવકોની હત્યાના મામલામાં 28 ઑગસ્ટના સાત આરોપીયોની ધરપકડ કરીને ફુગાના પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. 'પરંતુ આઝમ ખાનના દબાણના કારણે તેમને તાત્કાલિક છોડી મૂકાયા.'

English summary
Police officers take on Azam Khan in court over Muzaffarnagar riots
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X