For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘Khan’ હોવાથી કોઇ આતંકવાદી નથી બની જતું: સુપ્રિમ કોર્ટ

|
Google Oneindia Gujarati News

Supreme Court
નવી દિલહી: આજે સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં આતંકવાદના આરોપમાં પકડાયેલા મુસલમાનો માટે રાહતભરી વાત કહી છે. દેશની સર્વોચ્ચ અદાલતે કહ્યુ છે કે કોઇપણ વ્યક્તિને માત્ર ધર્મના આધારે દોષી અથવા આતંકવાદી ઠેરાવી શકાય નહીં. જો કોઇ એવું કરશે તો તે સજાને પાત્ર ગણાશે.

ગુજરાતમાં આતંકવાદના આરોપમાં પકડાયેલા 11 લોકોને મૂક્ત કરતી વખતે કોર્ટે આ વાત કહી હતી. આ તમામ લોકો છેલ્લા 11 વર્ષથી જેલમાં હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મૂક્ત કરવામાં આવેલા તમામ મુસ્લિમો 2002માં ટાડાની વિશેષ કોર્ટે 1994માં અમદાવાદની રથયાત્રા દરમિયાન કોમી હિંસા ફેલાવવાના આરોપમાં જેલની સજા ફટકારી હતી.

સુપ્રિમ કોર્ટે રાજ્ય પોલીસને આદેશ કર્યો હતો કે પોલીસ કોઇપણની ધર્મને આધારે ધરપકડ કરી શકશે નહીં. કોર્ટે જણાવ્યું કે ભારત એક એવો દેશ છે જ્યાં બધા જ ધર્મના લોકોનું ઉંચુ સ્થાન છે, પોલીસે કોમી દહેશત ના ફેલાય તેની તકેદારી રાખવી જોઇએ. દેશમાં કોઇપણ મુસલમાનને એવું ના લાગવું જોઇએ કે ‘માય નેમ ઇઝ ખાન બટ આઇ એમ નોટ ટેરરિસ્ટ'.

English summary
The Supreme Court on Wednesday,told Gujarat Police that no innocent person should be branded a terrorist and put behind bars simply because he belongs to a minority community.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X