ગૃહમાં પેગાસસને લગતા મારા સંસદીય પ્રશ્નોને મંજૂરી ન અપાઈ:પ્રિયંકા ચતુર્વેદી
પેગાસસ જાસૂસી કેસને લઈને કેન્દ્ર સરકાર સડકથી સંસદ સુધી ઘેરાયેલી છે. વિરોધ પક્ષો રસ્તાઓ પર અને સંસદમાં કેન્દ્ર વિરુદ્ધ હંગામો કરી રહ્યા છે.
પેગાસસ જાસૂસી કેસને લઈને કેન્દ્ર સરકાર સડકથી સંસદ સુધી ઘેરાયેલી છે. વિરોધ પક્ષો રસ્તાઓ પર અને સંસદમાં કેન્દ્ર વિરુદ્ધ હંગામો કરી રહ્યા છે. અત્યાર સુધી આ મુદ્દે સંસદના બંને ગૃહોમાં ઘણો હંગામો થયો છે. આ દરમિયાન શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આરોપ લગાવ્યો છે કે પેગાસસ કેસ સાથે સંબંધિત તેના પ્રશ્નોને રાજ્યસભામાં મંજૂરી આપવામાં આવી નથી. મંગળવારે તેમણે ટ્વિટ કર્યું કે મારા સંસદીય પ્રશ્નો, જે પેગાસસ કેસ સાથે સંબંધિત હતા, તેમને ગૃહમાં મંજૂરી આપવામાં આવી નથી.
પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'પેગાસસ અને સ્પાયવેર/સર્વેલન્સ સંબંધિત મારા સંસદીય પ્રશ્નો સૂચના મંત્રાલય અને ગૃહ મંત્રાલય સમક્ષ લાવવામાં આવ્યા ન હતા. પ્રશ્નકાળ અને લેખિત જવાબ બંનેમાં આ પ્રશ્નોને સ્વીકારાયા નથી. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચતુર્વેદીનું આ ટ્વિટ ત્યારે આવ્યુ છે જ્યારે સોમવારે સંરક્ષણ મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઈઝરાયેલી સાયબર સિક્યુરિટી ફર્મ NSO ગ્રુપ સાથે સરકારને કોઈ વ્યવહાર નથી, NSO તેના પેગાસસ સ્પાયવેરના દુરુપયોગને લઈને વૈશ્વિક વિવાદનો સામનો કરી રહી છે.
તમને જણાવી દઈએ કે પેગાસસ કેસને લઈને વિપક્ષ સતત સરકાર પર હુમલા કરી રહ્યો છે. વિરોધ પક્ષોના વિરોધને કારણે સંસદનું કામકાજ પણ અટકી ગયું છે. વિપક્ષી દળોએ માંગ કરી છે કે આ મુદ્દે ગૃહની અંદર ચર્ચા થવી જોઈએ. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર, અગાઉ 6 ઓગસ્ટના રોજ પણ કેન્દ્ર સરકારે રાજ્યસભામાં વિદેશ મંત્રાલયને પૂછવામાં આવેલા પ્રશ્નને નકારવાની માંગ કરી હતી. આ પ્રશ્ન પણ પેગાસસ સાથે સંબંધિત હતો.