મહારાષ્ટ્રમાં વધુ એક બબાલના એંધાણ, ઉદ્ધવ જુથના 4 ધારાસભ્યો સંપર્કમાં હોવાનો નારાયણ રાણેનો દાવો!
ઉદ્ધવ ઠાકરે પાસેથી મુખ્યમંત્રીની ખુરશી છીનવી લીધા બાદ પણ હવે ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. હવે ફરીથી મહારાષ્ટ્રમાં ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.
મુંબઈ : ઉદ્ધવ ઠાકરે પાસેથી મુખ્યમંત્રીની ખુરશી છીનવી લીધા બાદ પણ હવે ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. હવે ફરીથી મહારાષ્ટ્રમાં ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે.

કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે, ઉદ્ધવ ઠાકરે જૂથના ચાર શિવસેના ધારાસભ્યો શિંદે જૂથ સાથે જવા માટે તૈયાર છે અને તેમના સંપર્કમાં છે. જો કે તેમને શિવસેનાના ચાર ધારાસભ્યોના નામ જાહેર કર્યા નથી.
કેન્દ્ર સરકારના રોજગાર મેળા દરમિયાન મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે, ઉદ્ધવ ઠાકરે જૂથ હવે ક્યાં છે? શિવસેના હવે ખતમ થઈ ગઈ છે ને? 56 ધારાસભ્યોમાંથી હવે માત્ર 6-7 લોકો તેમની સાથે ઉભા છે. આમાંથી કેટલાક લોકો ઉદ્ધવ ઠાકરેને ગમે ત્યારે છોડી શકે છે. મારા સંપર્કમાં 4 ધારાસભ્યો છે. પરંતુ હું તેમનું નામ જાહેર નહીં કરું.
તેમણે આગળ કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેની રાજનીતિ માતોશ્રી સુધી સીમિત છે. તેમના મતે શિવસેનામાં કોઈ જૂથ બાકી નથી. હવે તેમના હાથમાં કંઈ નથી, તેથી ઘરે બેસીને ષડયંત્ર રચવાનું તેમની પાસે એકમાત્ર કામ છે.
અહીં તમને જણાવી દઈએ કે, 2 ઓક્ટોબરે મુંબઈના વરલીમાંમોટી સંખ્યામાં શિવસેનાના કાર્યકરો શિંદે જૂથમાં જોડાયા હતા. જૂનમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણી પછી તરત જ શિવસેનાને મોટા ભંગાણનો સામનો કરવો પડ્યો હતો અને ઉદ્ધવ ઠાકરેએ ખુરશી ગુમાવવી પડી હતી.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
