વરરાજા બનવાની ઉતાવળ છે મોદીનેઃ શરદ પવાર
નવી દિલ્હી, 6 એપ્રિલઃ ચૂંટણી મૌસમ છે અને નેતાઓની જીભ પણ લપસી રહી છે. કોઇ કોઇને ધમકી આપી રહ્યાં છે તો કોઇ કટાક્ષ પણ કરી રહ્યાં છે. કેન્દ્રીય કૃષિમંત્રી અને એનસીપી પ્રમુખ શરદ પવારે નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા કહ્યું કે તેમને વરરાજા બનવાની ઉતાવળ છે અને તેમણે પોતાને જનાદેશ આવતા પહેલાં જ વિજેતા જાહેર કરી દીધા છે.

તેમણે કહ્યું કે, ભાજપે ચૂંટણી પહેલા પીએમ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવા અંગે જાહેરાત કરવા અંગે પણ ટિપ્પણી કરી કે આવો દેશ મે પહેલીવાર જોયો છે. પવારે કહ્યું કે, સામાન્ય રીતે નિર્વાચિત સાંસદ વડાપ્રધાન તરીકે પોતાના નેતાની ચૂંટણી કરે છે, પરંતુ આ ચૂંટણીમાં મોદીને જલદી છે. નોંધનીય છે કે શરદ પવારે તાજેતરમાં જ મોદીના વખાણ કર્યા હતા. ત્યારબાદ એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે શરદ પવાર ભાજપને સમર્થન કરી શકે છે, જેનો વિરોધ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું.












Click it and Unblock the Notifications
