ભારત મોટી ભૂમિકા ભજવશે, હાલની સદી એશિયાની સદીઃ મોદી
ચેન્નાઇ, 18 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ચેન્નાઇમાં પાલ્ખીવાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ વિષય પર મેમોરિયલ લેક્ચર આપી રહ્યાં છે. આ તકે નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં ભારત કેવી રીતે પોતાની વિશેષ અને ખાસ જગા બનાવી શકે તે અંગે પ્રરેક સંબોધન કરતાની સાથે કેન્દ્ર પર આકરા પ્રહાર પણ કર્યા હતા. આ તકે મોદીએ કહ્યું હતું કે વિશ્વના મામલાઓમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે અને હાલની સદી એશિયાની સદી હશે.
નોંધનીય છે કે, નરેન્દ્ર મોદી જ્યારે ચેન્નાઇમાં ઉતર્યા, ત્યારે તેમનું ઉમેળકાભેર અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મોદી દ્વારા કરવામાં આવેલા મેમોરિયલ લેક્ચરનો વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. આ તકે નરેન્દ્ર મોદીએ નાના પાલખીવાલાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહ્યું કે, નાની પાલખીવાલા આખું જીવન આપણા મનમાં જીવંત રહેશે. તેઓ તેમના લાંબા કાર્ય અને વી ધ પીપલ પુસ્તક માટે જાણીતા છે.
મને ભારત અને વિશ્વ અંગે બોલવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે હું એટલું જરૂરથી કહેવા માંગીશ કે આપણે નસીબદાર છીએ કે આપણને ભારતમાં જન્મ મળ્યો છે. આપણા ધર્મગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે, આ એ ભૂમિ છે કે જ્યાં ભગવાને જન્મ લીધો છે. આપણા ગ્રંથોએ એ પણ જણાવ્યું છે કે, આપણે કેવી રીતે વિશ્વને જોડી શકીએ. વસુધેવ કુટુંબકમ આપણને સિદ્ધાંતો શીખવે છે, તેમાં ભારતનો સંદેશો અને સભ્યતા છે, જે વિશ્વને શાંતિ અને સુમેળતા શીખવે છે.
ગાંધીજીએ આપણે રાષ્ટ્ર અને વ્યક્તિને એકબીજા સાથે જોડવા અંગે ઘણું બધુ ઉંડાણપૂર્વક શીખવી ગયા છે. આઝાદી માટેની લડાઇ માત્ર બ્રિટિશ શાસન પાસેથી આઝાદી મેળવવા માટેની જ નહોતી પરંતુ આ અન્ટી ક્લોનિઅલ મુવમેન્ટ માટેની ગ્લોબલ લડાઇનો ભાગ હતી. આ સિદ્ધાંતોએ આજે ફોરેન પોલીસીને આકાર આપવો જ જોઇએ. આપણે તેને નબળુ બનાવી શકીએ નહીં. તેનાથી ભારત અને આફ્રિકા એક થયા છે. આઝાદી મળ્યા બાદ આપણે પહેલું પગલું એ ભરવું જોઇતુ હતુ કે આપણે પાડોસી દેશો સાથે સુસંગતભર્યા સંબંધો કરવાની જરૂર હતી, પરંતુ છેલ્લા 60 વર્ષમાં આપણે તે કરી શક્યા નથી.

હાલની સદી એશિયાની સદી
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ચેન્નાઇમાં પાલ્ખીવાલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ વિષય પર મેમોરિયલ લેક્ચર આપી રહ્યાં છે.

હાલની સદી એશિયાની સદી
નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વમાં ભારત કેવી રીતે પોતાની વિશેષ અને ખાસ જગા બનાવી શકે તે અંગે પ્રરેક સંબોધન કરતાની સાથે કેન્દ્ર પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

હાલની સદી એશિયાની સદી
નરેન્દ્ર મોદી જ્યારે ચેન્નાઇમાં ઉતર્યા, ત્યારે તેમનું ઉમેળકાભેર અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાલની સદી એશિયાની સદી
મોદી દ્વારા કરવામાં આવેલા મેમોરિયલ લેક્ચરનો વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. આ તકે નરેન્દ્ર મોદીએ નાના પાલખીવાલાને શ્રદ્ધાંજલિ અર્પી હતી

હાલની સદી એશિયાની સદી
ભારત અને વિશ્વ અંગે બોલવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે હું એટલું જરૂરથી કહેવા માંગીશ કે આપણે નસીબદાર છીએ કે આપણને ભારતમાં જન્મ મળ્યો છે. આપણા ધર્મગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે, આ એ ભૂમિ છે કે જ્યાં ભગવાને જન્મ લીધો છે.

હાલની સદી એશિયાની સદી
આપણા ગ્રંથોએ એ પણ જણાવ્યું છે કે, આપણે કેવી રીતે વિશ્વને જોડી શકીએ. વસુધેવ કુટુંબકમ આપણને સિદ્ધાંતો શીખવે છે, તેમાં ભારતનો સંદેશો અને સભ્યતા છે, જે વિશ્વને શાંતિ અને સુમેળતા શીખવે છે.

હાલની સદી એશિયાની સદી
ગાંધીજીએ આપણે રાષ્ટ્ર અને વ્યક્તિને એકબીજા સાથે જોડવા અંગે ઘણું બધુ ઉંડાણપૂર્વક શીખવી ગયા છે. આઝાદી માટેની લડાઇ માત્ર બ્રિટિશ શાસન પાસેથી આઝાદી મેળવવા માટેની જ નહોતી પરંતુ આ અન્ટી ક્લોનિઅલ મુવમેન્ટ માટેની ગ્લોબલ લડાઇનો ભાગ હતી.

હાલની સદી એશિયાની સદી
આ સિદ્ધાંતોએ આજે ફોરેન પોલીસીને આકાર આપવો જ જોઇએ. આપણે તેને નબળુ બનાવી શકીએ નહીં. તેનાથી ભારત અને આફ્રિકા એક થયા છે. આઝાદી મળ્યા બાદ આપણે પહેલું પગલું એ ભરવું જોઇતુ હતુ કે આપણે પાડોસી દેશો સાથે સુસંગતભર્યા સંબંધો કરવાની જરૂર હતી, પરંતુ છેલ્લા 60 વર્ષમાં આપણે તે કરી શક્યા નથી.

હાલની સદી એશિયાની સદી
તેમણે કહ્યું કે, આપણે વિદેશી સંબંધોને કેવી રીતે સેટ કરી શકીએ છીએ તે વિચારો વહેતા કરવા જોઇએ. વિશ્વ આજે અસુરક્ષિત માહોલમાં જીવી રહ્યો છે અને આ ઉભૂ થવા પાછળનું કારણ સંબંધોમાં સ્થિરતા નહીં હોવાના કારણે છે, અને આ થવા પાછળનું કારણ અન્યોના મંતવ્યોને સ્વિકારવાની આપણી અસમર્થતા છે.

હાલની સદી એશિયાની સદી
મોદીએ કહ્યું કે, શૌરી સમજાવી રહ્યા હતા કે કેવી રીતે ચીન ભારતને આવું સમજી શકે અને પોતાના મર્યાદિત અભિગમના કારણે ભારત પોતાને મજાક બનાવી રહ્યું છે.

હાલની સદી એશિયાની સદી
મોદીએ કહ્યું કે, શૌરી સમજાવી રહ્યા હતા કે કેવી રીતે ચીન ભારતને આવું સમજી શકે અને પોતાના મર્યાદિત અભિગમના કારણે ભારત પોતાને મજાક બનાવી રહ્યું છે. આપણે જ્યારે સેન્સિટિવ થવાની જરૂર છે ત્યારે આપણે ઇન્સેન્સિટિવ થઇ જઇએ છીએ અને જ્યારે આપણે મજબૂત થવાની જરૂર છે

હાલની સદી એશિયાની સદી
ફોરેન પોલીસી અંગે વાત કરતા મોદીએ જણાવ્યું કે, ફોરેન પોલીસીના અન્ય પીલરમાં સ્ટ્રેટેજી અને સિક્યોરિટીનો મુદ્દો હોવો જોઇએ. અટલજીએ શાંતિ અને શક્તિ બન્ને રસ્તા દર્શાવ્યા હતા.

હાલની સદી એશિયાની સદી
આપણે જ્યારે પહેલીવાર જ્યારે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો ત્યારે લોકોએ તેનો શ્રેય વૈજ્ઞાનિકોને આપ્યો હતો, રાષ્ટ્રો આ નિર્ણયથી ડરતા હતા ત્યારે વાજપાયીજીની રાજકિય સામર્થ્યતા હતી કે તેમણે 13મી મેએ ફરીથી ટેસ્ટ કર્યો. 13મીએ જે ટેસ્ટ કરવામાં આવ્યો તેમાં 11મીએ કરવામાં આવેલા ટેસ્ટ કરતા બમણી શક્તિ હતી.

હાલની સદી એશિયાની સદી
અટલજીના સમયગાળા દરમિયાન ભાવ આપણા કન્ટ્રોલમાં હતા. તેઓ પણ પહેલા ઉપયોગ કરવામાં માનતા નહોતા, જે દર્શાવે છે શક્તિ અને શાંતિ ઉપસાક. અટલજી આ કરી શક્યા હતા કારણ કે તેમને રાષ્ટ્ર પર વિશ્વાસ હતો અને લોકોમાં ટ્રસ્ટ હતો.

હાલની સદી એશિયાની સદી
હાલના સમયે અટલજીની ડિપ્લોમેટિક લેગસીને રિવાઇવ કરવાની જરૂર છે. જેમાં સુરક્ષિત મજબૂત વિચાર, વિશ્વાસ અને વિશ્વ સાથે પ્રોડક્ટિવ જોડાણની વાત હતી.
તેમણે કહ્યું કે, આપણે વિદેશી સંબંધોને કેવી રીતે સેટ કરી શકીએ છીએ તે વિચારો વહેતા કરવા જોઇએ. વિશ્વ આજે અસુરક્ષિત માહોલમાં જીવી રહ્યો છે અને આ ઉભૂ થવા પાછળનું કારણ સંબંધોમાં સ્થિરતા નહીં હોવાના કારણે છે, અને આ થવા પાછળનું કારણ અન્યોના મંતવ્યોને સ્વિકારવાની આપણી અસમર્થતા છે.
મોદીએ કહ્યું કે, શૌરી સમજાવી રહ્યા હતા કે કેવી રીતે ચીન ભારતને આવું સમજી શકે અને પોતાના મર્યાદિત અભિગમના કારણે ભારત પોતાને મજાક બનાવી રહ્યું છે. આપણે જ્યારે સેન્સિટિવ થવાની જરૂર છે ત્યારે આપણે ઇન્સેન્સિટિવ થઇ જઇએ છીએ અને જ્યારે આપણે મજબૂત થવાની જરૂર છે ત્યારે આપણે નબળા પડી જઇએ છીએ. ફોરેન પોલીસી અંગે વાત કરતા મોદીએ જણાવ્યું કે, ફોરેન પોલીસીના અન્ય પીલરમાં સ્ટ્રેટેજી અને સિક્યોરિટીનો મુદ્દો હોવો જોઇએ. અટલજીએ શાંતિ અને શક્તિ બન્ને રસ્તા દર્શાવ્યા હતા.
આપણે જ્યારે પહેલીવાર જ્યારે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો ત્યારે લોકોએ તેનો શ્રેય વૈજ્ઞાનિકોને આપ્યો હતો, રાષ્ટ્રો આ નિર્ણયથી ડરતા હતા ત્યારે વાજપાયીજીની રાજકિય સામર્થ્યતા હતી કે તેમણે 13મી મેએ ફરીથી ટેસ્ટ કર્યો. 13મીએ જે ટેસ્ટ કરવામાં આવ્યો તેમાં 11મીએ કરવામાં આવેલા ટેસ્ટ કરતા બમણી શક્તિ હતી. આ વાત સાબિત કરે છે કે રાષ્ટ્ર સુરક્ષા પ્રત્યે કેટલું સમર્પણ હતું.
આજે આપણો રૂપિયો આઇસીયુમાં છે. મને એ વાત સમજાતી નથી કે તમિળ લોકોએ શા માટે આ વ્યક્તિને દિલ્હી મોકલી હશે. અટલજીના સમયગાળા દરમિયાન ભાવ આપણા કન્ટ્રોલમાં હતા. તેઓ પણ પહેલા ઉપયોગ કરવામાં માનતા નહોતા, જે દર્શાવે છે શક્તિ અને શાંતિ ઉપસાક. અટલજી આ કરી શક્યા હતા કારણ કે તેમને રાષ્ટ્ર પર વિશ્વાસ હતો અને લોકોમાં ટ્રસ્ટ હતો. હાલ દિલ્હીમાં જે અપ્રક્રિયા થઇ રહી છે તે આપણી ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડિંગ અને મિલેટ્રી મોર્ડનાઇઝેશન અટકાવે છે.
હાલના સમયે અટલજીની ડિપ્લોમેટિક લેગસીને રિવાઇવ કરવાની જરૂર છે. જેમાં સુરક્ષિત મજબૂત વિચાર, વિશ્વાસ અને વિશ્વ સાથે પ્રોડક્ટિવ જોડાણની વાત હતી. આતંકવાદને કાબૂમાં કરવાની જરૂર છે. હાલના સમયમાં ભારત જેટલો સામનો અન્ય કોઇ દેશ આતંકવાદ સામે નહીં કરી રહ્યો હોય. અટલજીએ આતંકવાદના મુદ્દાને આંતરરાષ્ટ્રીય ફોરમ પર લાવ્યા હતા. વર્ષોથી પાકિસ્તાન કાશ્મિરના મુદ્દાને વિશ્વ ફલક પર ઉછાળતું આવ્યું છે, પરંતુ એ અટલજી હતા કે જેમણે આતંકવાદને મુદ્દો બનાવ્યો હતો. વિશ્વ અન્ટી ટેરરિસ્ટ અને પ્રો હ્યુમિનિટીમાં વહેચાયેલું છે અને આજે જરૂર છે કે આપણે વિશ્વની આતંકવાદ વિરુદ્ધ એક કરીએ.
બિઝનેસ અને કોમર્સ ઘણા જ મહત્વના છે, જે ફોરેન પોલિસીને ગાઇડિંગ કરવામાં મદદ કરે છે. સ્ટ્રોંગ ઇકોનોમી ઇફેક્ટિવ ફોરેન પોલીસી બનાવે છે. આતંકવાદ ભાગલા પાડી શકે છે, પરંતુ પ્રવાસન બધાને એક કરી શકે છે. આ મારો વિશ્વાસ છે. આપણી આજની શક્તિનો ઉપયોગ આપણે આપણા પ્રભુત્વને વધારવામાં કરી શકીએ છીએ. આપણે મોટો દેશ છીએ. ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આપણે કેવી રીતે આપણે આવી દયનિય સ્થિતિમાં છીએ. જ્યારે આપણા પર હુમલો થાય અથવા તો આપણા સૈનિકોના માથા વઢાય ત્યારે માત્ર પ્રેસનોટ અને નિવેદન કરવા પૂરતા છે.
તેમણે વધુમાં કહ્યું કે, લોકોમાં એ વાતની ચિંતા છેકે આપણો દેશ કેવી રીતે ચલાવવામાં આવી રહ્યો છે. આપણા વિદેશ મંત્રી અન્ય દેશની સ્પીચ વાંચી રહ્યાં છે. જ્યારે આપણા વિદેશ મંત્રી ચીનમાં જાય છે ત્યારે તેઓ કહે છે કે તેઓ બેઇજિંગમાં રહેવા માગે છે. આ કોઇ પોલીસી નહીં પણ મજાક છે અને તેને બદલવાની જરૂર છે. આપણા રાષ્ટ્રને ગંભીરતાથી લેવાની તાતી જરૂર છે. રાજ્યોની સાંસ્કૃતિક અને ઇકોનોમિક શક્તિને ગ્લોબલ બનાવવાની જરૂર છે. આ તકે તેમણે કહ્યું કે ભારતનો મેગ્નેટિક પાવર તેની સંસ્કૃતિ અને સાંસ્કૃતિમાં છે. ભારતે પોતાની ભૂમિકા ભજવી છે અને વિશ્વન મામલાઓમાં તે પોતાની મહત્વની ભૂમિકા ભજવશે. હાલની સદી એશિયાની સદી હશે.












Click it and Unblock the Notifications
