Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે મોદી: મનિષ તિવારી

manish-tewari-delhi
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: સુચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ રાજ્યમાં વર્ષ 2002ના કોમી સરખાણોની કોઇ ચર્ચા ન કરવાના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેમના ભાષણમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

મનિષ તિવારીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ વિકાસના ગુજરાતવાળા મોડલનું ઉદાહરણ આપતી વખતે પી2 અને જી2 ના ચવાઇ ગયેલા સંદર્ભ આપયા હતા. પી2 ના આધાર વિના કોઇ ઉપલ્બધિ વડે પોતાની પીઠ થપથપાવી છે.

મનિષ તિવારીએ કહ્યું હતું કે જી2 નો અર્થ વૈશ્વિક છે. મને આશ્વર્ય થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના આખા ભાષણમાં ગુજરાતના એક સમુદાયના નરસંહારની કોઇ ચર્ચા કરી નહી, જે રાજ્યની છબિ પર એક દાગ છે. મનિષ તિવારીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના શાસનકાળ દરમિયાન થયેલી ધટનાઓ અંગે 'પ્રાયશ્વિત' કર્યું નથી. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એ કહેવાનું ભૂલી ગયા કે માનવ વિકાસ સૂચકાંકના આધારે ઘણા રાજ્યો ગુજરાતથી આગળ છે.

મનિષ તિવારીએ કહ્યું હતું કે એ તપાસ કરવાની જરૂરિયાત છે કે વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં જે સહમતિ પત્રો પર હસ્તાક્ષર થયા છે તેમાંથી કેટલા કરાર પર અમલ થયો છે અને કેટલા લોકોને ફાયદો થયો છે.

તેમને કહ્યું હતું કે બમણાં ફૂંકવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન જે દુર્ભાગ્યથી તેમની ઓળખ છે, હકિકતમાં તેમના ભાષણમાં કશું જ ન હતું. મનિષ તિવારીએ કહ્યું હતું કે ગુજરાતનો વિકાસ લોકો માટે નથી પરંતુ ફક્ત કેટલાક ઉદ્યોગપતિઓ માટે થયો છે. વિકાસની જે વાર્તા કહેવા માંગે છે, તે સંપૂર્ણ રીતે તથ્યોથી અલગ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X