ચિદમ્બરમ વિરુધ્ધ જયંતી નટરાજને PMને પત્ર લખ્યો

નટરાજને પોતાના પત્રમાં લખ્યું છે કે જો નેશનલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ બન્યું તો એ તેમના મંત્રાલયની શક્તિને દબાવી દેવા જેવું હશે. નાણા મંત્રી ચિદ્મ્બરમની દરખાસ્ત અનુસાર એનઆઇબીએ રૂપિયા 1000 કરોડથી વધારેનું રોકાણ ધરાવતા પ્રોજેક્ટ પાસ કરવાની તાકીદ આપવામાં આવશે.
આ પ્રસ્તાવિત બોર્ડ રોકાણ દરખાસ્તોને મંજૂરી આપનારા અંતિમ એકમ તરીકે કામ કરશે. આ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલા રોકાણ પર કોઇ જ મંત્રાલય વિરોધ ઉઠાવી શકશે નહીં. નટરાજને પોતાના પત્રમાં જણાવ્યું છે કે પર્યાવરણ મુદ્દે મંજૂરી આપવાનું કામ તેમનું મંત્રાલય કરે છે ત્યારે તેમાં એનઆઇબીની ભૂમિકા હોવી જોઇએ નહીં.












Click it and Unblock the Notifications
