NGTએ એલજી પૉલિમર્સને જારી કરી નોટિસ, 50 કરોડ રૂપિયા જમા કરાવવાના નિર્દેશ
શુક્રવારે એનજીટીએ એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીને નોટિસ જારી કરી છે.
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી લગભગ 30 કિમી દૂર વેંકટપુરમ ગામમાં ગુરુવારે એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીના કેમિકલ પ્લાન્ટમાં થયેલ ગેસ લીકેજથી એક ડઝનથી વધુ લોકોના મોત થઈ ગયા છે. સેંકડો લોકો હોસ્પિટલમાં ભરતી છે. આ દરમિયાન શુક્રવારે એનજીટીએ એલજી પૉલિમર્સ ઈન્ડસ્ટ્રીને નોટિસ જારી કરી છે. આ સાથે જ એનજીટીએ પૂર્વ ન્યાયાધીનની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.

એનજીટી અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી એનજીટી શુક્રવારે આ મામલે સ્વતઃ જાણવાજોગ લઈને એલજી પૉલિમર્સ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ જારી કરી છે. આ સાથે જ વાયઝેક ગેસ લીક મામલે તપાસ માટે આંધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે.
આ સાથે જ એનજીટીએ વિશાખાપટ્ટનમમાં ગેસ લીકના કારણે થયેલ નુકશાનની અવેજીમાં એલજી પૉલિમરને 50 કરોડ રૂપયિયાની પ્રારંભિક રકમ વિશાખાપટ્ટનમના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે જમા કરવાના નિર્દેશ આપ્યા છે. આ તરફ ગેસની અસરને ઘટાડવા માટે ગુજરાતથી કેમિકલ પેરા ટર્શરી બ્યુટાઈલ કેટકૉલ(પીટીબીસી) મંગાવાયુ છે. મોડી રાતે એર ઈન્ડિયાનુ એક કાર્ગો પ્લેન આને લઈને વિશાખાપટ્ટનમ પહોંચ્યુ.
પીટીબીસી ગુજરાતના વાપી અને વલસાડ જિલ્લામાં બને છે. જ્યારે તેનો હવામાં છંટકાવ કરવામાં આવે છે ત્યારે તે કોઈ પણ પ્રકારની ગેસની અસરને ઘટાડી દે છે. આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં ગુરુવારે સવારે થયેલી ગેસ લીકમાં 11 લોકોના મોત થઈ ગયા. આ દૂર્ઘટનાનુ કારણ જાણવાા માટે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત મૃતકોના પરિવારવાળાને એક કરોડ રૂપિયાનુ વળતર આપવાની ઘોષણા કરી છે.
National Green Tribunal (NGT) directs LG Polymers, India to forthwith deposit an initial amount of Rs. 50 crore taking note of damages caused due to #VizagGasLeakage incident. https://t.co/LoHcZSSdc6
— ANI (@ANI) May 8, 2020
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
