For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NCBના અનામી અધિકારીના પત્ર પર નવાબ મલિકને સમીર વાનખેડેનો જવાબ, જાણો શું કહ્યું

આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વચ્ચે અલગ લડાઈ શરૂ થઈ ગઈ છે. નવાબ મલિક સમીર વાનખેડે પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : આર્યન ખાન ડ્રગ્સ કેસને લઈને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક અને NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વચ્ચે અલગ લડાઈ શરૂ થઈ ગઈ છે. નવાબ મલિક સમીર વાનખેડે પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે.

મંગળવારના રોજ તેમણે સૌથી પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને સમીર વાનખેડે પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ તેમણે ટ્વિટર પર એક પત્ર જાહેર કર્યો હતો, જેમાં તેમણે આ પત્ર NCBનો કર્મચારી ગણાવ્યો હતો.

આ પત્રમાં સમીર વિશે ઘણા સનસનીખેજ ખુલાસા કરવામાં આવ્યા છે. હવે આ સમગ્ર મામલે સમીર વાનખેડેની પ્રતિક્રિયા આવી છે. તેમણે નવાબ મલિકના પત્રને 'મજાક' ગણાવ્યો છે.

નવાબ મલિક જે ઈચ્છે તે કરી શકે છે - સમીર વાનખેડે

સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, નવાબ મલિક દ્વારા શેર કરવામાં આવેલો પત્ર સંપૂર્ણપણે ખોટો અને બનાવટી છે, આ પત્ર કોઈ મજાકથી ઓછો નથી.

સમીર વાનખેડેએકહ્યું કે, નવાબ મલિક જે ઈચ્છે તે કરી શકે છે, પરંતુ મારા પરના આરોપો ખોટા છે. ઉલ્લેખનીય છે કે, સમીર વાનખેડેના સમર્થનમાં તેમનો પરિવાર પણ ઉભો છે.

તેનીપત્નીએ કહ્યું છે કે, જો કોઈ મારા પતિ વિરુદ્ધ પુરાવા લઈને આવે તો હું સંમત થઈશ, મારા પતિ પરના તમામ આરોપો તદ્દન ખોટા છે.

નવાબ મલિકના પત્રમાં સમીર વાનખેડે પર 26 ગંભીર આરોપો

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સમીર વાનખેડે પર બોલિવૂડની અનેક હસ્તીઓનાફોન ટેપ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જે બાદમાં તેણે ટ્વિટર પર એક પત્ર શેર કર્યો હતો, જેમાં તેમણે સમીર વાનખેડે પર નકલી દસ્તાવેજોને કારણે દલિતની નોકરીછીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો.

નવાબ મલિકે આ પત્ર NCBના કર્મચારી દ્વારા લખવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું છે. પત્રમાં સમીર વાનખેડે પર કુલ 26ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

નવાબ મલિકે કહ્યું - આરોપોની તપાસ થવી જોઈએ

નવાબ મલિકે કહ્યું કે, મેં આ પત્ર NCBના DG અને અન્ય અધિકારીઓને મોકલ્યો છે.

નવાબ મલિકે કહ્યું કે, આ પત્રમાં સમીર વાનખેડે વિરુદ્ધ છેતરપિંડીના 36 કેસનોંધવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં તેમના પર લાગેલા આરોપોની તપાસ થવી જોઈએ.

English summary
Nawab Malik received the reply of Sameer Wankhede on the letter of the anonymous officer of NCB.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X