મોદી મુદ્દે NCP નરમ, કહ્યું,‘ગુજરાત રમખાણોના મુદ્દાને પડતો મુકો’
નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલે ગુજરાત રમખાણોના મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પક્ષમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 2002માં જે ગુજરાતના રમખાણો થયા હતા, તેના પર કોર્ટનો આદેશ આવી ચુક્યો છે અને તેથી એ આદેશનું સન્માન કરવામાં આવે. નરેન્દ્ર મોદી પર એનસીપીના નરમ વલણને લઇને તેના રાજકિય તારણો કાઢવામાં આવી રહ્યાં છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, આ પ્રફુલ્લ પટેલનો અંગત પ્રતિભાવ છે.

આ કોંગ્રેસ માટે ઝટકાથી કમ નથી, કારણ કે જમ્મુ કાશ્મીરમાં સત્તાધીશ નેશનલ કોન્ફ્રેન્સ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટવાની કગાર પર છે. સંકેત મળી રહ્યાં છે કે, બન્ને પક્ષોમાં ભારે મતભેદોના કારણે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા રાજીનામું આપી શકે છે. બન્ને પક્ષો વચ્ચે મતભેદ થવાનું સૌથી મોટું કારણ એક મહત્વકાંક્ષી યોજનામાં કોંગ્રેસ દ્વારા અડચણો ઉભી કરવાનું છે.












Click it and Unblock the Notifications
