એનડીટીવીએ સરકારનો નિર્ણય પડકાર્યો, પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ
હિંદી ન્યૂઝ ચેનલ એનડીટીવી ઇંડિયા પર આરોપ છે કે તેણે પઠાણકોટ હુમલા દરમિયાન એવી સંવેદનશીલ માહિતી પ્રસારિત કરી હતી જેનાથી આતંકવાદીઓને મદદ મળી શકતી હતી...
ચેનલ પર એક દિવસના પ્રતિબંધ અંગે એનડીટીવી ઇંડિયાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. એનડીટીવીએ કોર્ટમાં સરકાર ( સૂચના અને પ્રસારણ મંત્રાલય) ના નિર્ણયને પડકારતી એક ફરિયાદ દાખલ કરી છે. તમને જણાવી દઇએ કે એનડીટીવી ઇંડિયા પર એક દિવસના પ્રસારણના પ્રતિબંધ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. હવે જોવાનું એ છે કે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે.

કેમ લાગ્યો પ્રતિબંધ
હિંદી ન્યૂઝ ચેનલ એનડીટીવી ઇંડિયા પર આરોપ છે કે તેણે પઠાણકોટ હુમલા દરમિયાન એવી સંવેદનશીલ માહિતી પ્રસારિત કરી જેનાથી આતંકવાદીઓને મદદ મળી શકતી હતી. સરકારે નિયમોના ઉલ્લંઘનના આરોપમાં એનડીટીવી ઇંડિયા પર એક દિવસનો પ્રતિબંધ લગાવ્યો છે.

ઝી ના સુભાષ ચંદ્રાએ પ્રતિબંધને વાજબી ઠેરવ્યો
આ પહેલા ઝી મીડિયા ગ્રુપના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રાએ એનડીટીવી ઇંડિયા પર લાગેલા પ્રતિબંધને વાજબી ઠેરવ્યો હતો અને કહ્યું હતુ કે તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવો જોઇએ. ચંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે એનડીટીવી ઇંડિયા પર એક દિવસીય પ્રતિબંધ નાઇંસાફી છે, આ સજા બહુ જ ઓછી છે. દેશની સુરક્ષા સાથે રમત રમવા બદલ તેના પર આજીવન પ્રતિબંધ લાગવો જોઇએ. વધુમાં તેમણે લખ્યુ કે મને તો એ પણ વિશ્વાસ છે કે જો એનડીટીવી ઇંડિયા ન્યાયાલયમાં જશે તો તેને ત્યાં પણ ફટકાર મળશે.

કાત્જૂએ કહ્યુ એનડીટીવી પર પ્રતિબંધ ગેરકાયદેસર, માત્ર રિપોર્ટિંગ કર્યુ હતુ
આ મુદ્દે શનિવારે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જૂએ આ પ્રતિબંધને ગેરકાયદેસર ગણાવતા પોતાના બ્લોગ સત્યમ બ્રુયાતમાં કેબલ ટીવી નેટવર્ક રુલ 1994 હેઠળ રુલ નંબર 6 (1) (P) નો ઉલ્લેખ કરતા લખ્યુ હતુ કે, 'મે રવિશકુમાર સાથે વાતચીત કરી છે. આ પ્રતિબંધ ગેરકયદેસર છે. કાયદા પ્રમાણે સુરક્ષાબળો તરફથી આતંકવાદ વિરોધી કોઇ પણ ઓપરેશનના લાઇવ કવરેજને કોઇ પણ પ્રોગ્રામ કેબલ સર્વિસ પર ન લેવાય. મીડિયા માત્ર એ જ પ્રસારિત કરી શકે જે ઓપરેશન પૂરુ થયા બાદ સરકાર જાણકારી આપે. લાઇવ કવરેજનો મતલબ છે કે એવા દ્રશ્યો બતાવવા કે જેમાં સુરક્ષા બળો આતંકવાદીઓની સર્ચ કરી રહ્યા હોય કે તેમની સાથે લડી રહ્યા હોય. આતંકવાદ વિરોધી ઓપરેશનનું માત્ર રિપોર્ટિંગ કરવુ લાઇવ કવરેજ નથી. તેમણે લખ્યુ કે એનડીટીવીએ આતંકી ઓપરેશનનું માત્ર રિપોર્ટિંગ કર્યુ હતુ. એવુ કોઇ દ્રશ્ય બતાવવામાં નથી આવ્યુ જેમાં સુરક્ષા બળો આતંકવાદીઓનો પીછો કરી રહ્યા હોય કે તેમની સાથે લડી રહ્યા હોય. એવામાં આ પ્રતિબંધ સ્પષ્ટ રીતે ગેરકાયદેસર છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
