શશિકલા કે પન્નીરસેલ્વમ, બેમાંથી કોઇને ના મળ્યું ચૂંટણી ચિહ્ન
ચૂંટણી પંચે આ બંન્ને જૂથને ઝાટકો આપતાં કહ્યું કે, તેમને એઆઇડીએમકે નામ કે પાર્ટીનું ચિહ્ન આપવામાં નહીં આવે. તેઓ ઇચ્છે તો અલગ ચૂંટણી ચિહ્ન મેળવી શકે છે.
જયલલિતા ના નિધન બાદ એઆઇડીએમકે પાર્ટી અને તેની ચૂંટણી ચિહ્ન પર દાવો કરી રહેલાં શશિકલા અને ઓ.પન્નીરસેલ્વમ ને ચૂંટણી પંચે મોટો ઝાટકો આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, બેમાંથી કોઇ જૂથને આ પાર્ટીનું નામ કે ચૂંટણી ચિહ્ન આપવામાં નહીં આવે.

જયલલિતાની બેઠક આર.કે.નગર પર પેટા-ચૂંટણી યોજાનાર છે. આ માટે પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્ન માટે બંન્ને જૂથોએ પોતાનો દોવા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો હતો. આ બંન્ને જૂથોની રજૂઆત સંભાળ્યા બાદ બુધવારે મોડી રાતે ચૂંટણી પંચે આ અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ નિર્ણય હેઠળ ચૂંટણી પંચે કહ્યું કે. આર.કે.નગર બેઠક માટે યોજાનાર પેટા-ચૂંટણી માટે શશિકલા અને પન્નીરસેલ્વમ બંન્નેના જૂથને અલગ-અલગ ચૂંટણી ચિહ્ન આપવામાં આવશે. મફત ચૂંટણી ચિહ્નની યાદીમાંથી તેઓ કોઇ પણ ચિહ્ન પસંદ કરી શકે છે. સાથે જ ચૂંટણી પંચ દ્વારા તેમને 17 એપ્રિલ સુધીમાં જરૂરી દસ્તાવેજ અને એફિડેવિટ જમા કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
ચૂંટણી પંચના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં ઓ.પન્નીરસેલ્વમે કહ્યું હતું કે, ચૂંટણી પંચના આ નિર્ણયથી અમે નિરાશ છીએ, પરંતુ અમે અમારું ચૂંટણી ચિહ્ન મેળવવા માટેની કાયદાકીય લડાઇ ચાલુ રાખીશું.
We will now take up the issue and I am confident that we will get the symbol back: TTV Dinakaran( Sasikala faction) on AIADMK symbol pic.twitter.com/wLaYiO9gP5
— ANI (@ANI_news) March 22, 2017
જ્યારે શશિકલા જૂથના નેતા દિનાકરણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, અમે હવે આ મુદ્દે આગળ કાર્યવાહી કરીશું અને મને વિશ્વાસ છે કે અમને અમારું ચિહ્ન પાછું મળશે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આગામી આર.કે.નગરની ચૂંટણી પર આની કોઇ અસર નહીં પડે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
