શશિકલા કે પન્નીરસેલ્વમ, બેમાંથી કોઇને ના મળ્યું ચૂંટણી ચિહ્ન
ચૂંટણી પંચે આ બંન્ને જૂથને ઝાટકો આપતાં કહ્યું કે, તેમને એઆઇડીએમકે નામ કે પાર્ટીનું ચિહ્ન આપવામાં નહીં આવે. તેઓ ઇચ્છે તો અલગ ચૂંટણી ચિહ્ન મેળવી શકે છે.
જયલલિતા ના નિધન બાદ એઆઇડીએમકે પાર્ટી અને તેની ચૂંટણી ચિહ્ન પર દાવો કરી રહેલાં શશિકલા અને ઓ.પન્નીરસેલ્વમ ને ચૂંટણી પંચે મોટો ઝાટકો આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, બેમાંથી કોઇ જૂથને આ પાર્ટીનું નામ કે ચૂંટણી ચિહ્ન આપવામાં નહીં આવે.

જયલલિતાની બેઠક આર.કે.નગર પર પેટા-ચૂંટણી યોજાનાર છે. આ માટે પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્ન માટે બંન્ને જૂથોએ પોતાનો દોવા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો હતો. આ બંન્ને જૂથોની રજૂઆત સંભાળ્યા બાદ બુધવારે મોડી રાતે ચૂંટણી પંચે આ અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.
આ નિર્ણય હેઠળ ચૂંટણી પંચે કહ્યું કે. આર.કે.નગર બેઠક માટે યોજાનાર પેટા-ચૂંટણી માટે શશિકલા અને પન્નીરસેલ્વમ બંન્નેના જૂથને અલગ-અલગ ચૂંટણી ચિહ્ન આપવામાં આવશે. મફત ચૂંટણી ચિહ્નની યાદીમાંથી તેઓ કોઇ પણ ચિહ્ન પસંદ કરી શકે છે. સાથે જ ચૂંટણી પંચ દ્વારા તેમને 17 એપ્રિલ સુધીમાં જરૂરી દસ્તાવેજ અને એફિડેવિટ જમા કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
ચૂંટણી પંચના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં ઓ.પન્નીરસેલ્વમે કહ્યું હતું કે, ચૂંટણી પંચના આ નિર્ણયથી અમે નિરાશ છીએ, પરંતુ અમે અમારું ચૂંટણી ચિહ્ન મેળવવા માટેની કાયદાકીય લડાઇ ચાલુ રાખીશું.
We will now take up the issue and I am confident that we will get the symbol back: TTV Dinakaran( Sasikala faction) on AIADMK symbol pic.twitter.com/wLaYiO9gP5
— ANI (@ANI_news) March 22, 2017
જ્યારે શશિકલા જૂથના નેતા દિનાકરણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, અમે હવે આ મુદ્દે આગળ કાર્યવાહી કરીશું અને મને વિશ્વાસ છે કે અમને અમારું ચિહ્ન પાછું મળશે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આગામી આર.કે.નગરની ચૂંટણી પર આની કોઇ અસર નહીં પડે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી










Click it and Unblock the Notifications
