For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શશિકલા કે પન્નીરસેલ્વમ, બેમાંથી કોઇને ના મળ્યું ચૂંટણી ચિહ્ન

ચૂંટણી પંચે આ બંન્ને જૂથને ઝાટકો આપતાં કહ્યું કે, તેમને એઆઇડીએમકે નામ કે પાર્ટીનું ચિહ્ન આપવામાં નહીં આવે. તેઓ ઇચ્છે તો અલગ ચૂંટણી ચિહ્ન મેળવી શકે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

જયલલિતા ના નિધન બાદ એઆઇડીએમકે પાર્ટી અને તેની ચૂંટણી ચિહ્ન પર દાવો કરી રહેલાં શશિકલા અને ઓ.પન્નીરસેલ્વમ ને ચૂંટણી પંચે મોટો ઝાટકો આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, બેમાંથી કોઇ જૂથને આ પાર્ટીનું નામ કે ચૂંટણી ચિહ્ન આપવામાં નહીં આવે.

panneerselvam sasikala

જયલલિતાની બેઠક આર.કે.નગર પર પેટા-ચૂંટણી યોજાનાર છે. આ માટે પાર્ટીના નામ અને ચૂંટણી ચિહ્ન માટે બંન્ને જૂથોએ પોતાનો દોવા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યો હતો. આ બંન્ને જૂથોની રજૂઆત સંભાળ્યા બાદ બુધવારે મોડી રાતે ચૂંટણી પંચે આ અંગે પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.

આ નિર્ણય હેઠળ ચૂંટણી પંચે કહ્યું કે. આર.કે.નગર બેઠક માટે યોજાનાર પેટા-ચૂંટણી માટે શશિકલા અને પન્નીરસેલ્વમ બંન્નેના જૂથને અલગ-અલગ ચૂંટણી ચિહ્ન આપવામાં આવશે. મફત ચૂંટણી ચિહ્નની યાદીમાંથી તેઓ કોઇ પણ ચિહ્ન પસંદ કરી શકે છે. સાથે જ ચૂંટણી પંચ દ્વારા તેમને 17 એપ્રિલ સુધીમાં જરૂરી દસ્તાવેજ અને એફિડેવિટ જમા કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

ચૂંટણી પંચના આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં ઓ.પન્નીરસેલ્વમે કહ્યું હતું કે, ચૂંટણી પંચના આ નિર્ણયથી અમે નિરાશ છીએ, પરંતુ અમે અમારું ચૂંટણી ચિહ્ન મેળવવા માટેની કાયદાકીય લડાઇ ચાલુ રાખીશું.

જ્યારે શશિકલા જૂથના નેતા દિનાકરણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, અમે હવે આ મુદ્દે આગળ કાર્યવાહી કરીશું અને મને વિશ્વાસ છે કે અમને અમારું ચિહ્ન પાછું મળશે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, આગામી આર.કે.નગરની ચૂંટણી પર આની કોઇ અસર નહીં પડે.

English summary
Neither Panneerselvam or Sasikala permitted to use AIADMK name, says Election Commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X