'મારુ પણ એક ઘર હશે, ક્યારેય વિચાર્યુ નહોતુ...', અતીક અહેમદના ગેરકાયદે કબ્જા પર મળ્યા ફ્લેટ તો છલકાઈ ખુશી
Flats to poor in prayagraj uttar pradesh: શુક્રવારે યુપીના રાજકારણમાં એક નવી શરૂઆત થઈ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગરીબ લાભાર્થીઓને માફિયા અતીક અહેમદના ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવેલી જમીન પર બનેલા ફ્લેટની ચાવીઓ સોંપી.
તમને જણાવી દઈએ કે યુપી સરકારે પ્રયાગરાજમાં અતીક અહેમદના ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવેલી જમીન પર 76 ફ્લેટ બનાવ્યા છે અને આ ફ્લેટ ગરીબ પરિવારોને સોંપવાનો નિર્ણય કર્યો છે.

શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય સાથે આ ફ્લેટની ચાવી લાભાર્થીઓને સોંપી હતી. આ દરમિયાન ભાડાના મકાનમાં રહેતી એક મહિલાએ પણ પોતાનો અનુભવ મીડિયા સાથે શેર કર્યો, જે તેણે પોતાનું ઘર મેળવ્યા પછી અનુભવ્યો.
આ મહિલાએ કહ્યું, 'અમે વિચારી પણ નહોતા શકતા કે અમારુ પોતાનું ઘર હશે. આજે ખૂબ સારું લાગે છે. તમે પોતે જાણો છો કે આજકાલ કેટલી મોંઘવારી છે. જીવતા જીવ અમારુ પોતાનું ઘર હશે એવું અમે ક્યારેય વિચાર્યું ન હતું. હવે પોતાની છત નીચે છીએ. હવે કોઈ કહેશે નહીં કે હટો અહીંથી, અહીં પાણીની સમસ્યા છે.
મહિલાએ વધુમાં કહ્યું, 'અમે ભાડાના મકાનમાં રહેતા હતા. હજુ સુધી તે એક જ ભાડાના મકાનમાં રહીએ છીએ. હવે અમે ત્યાંથી નીકળીશું અને અમારા આ ઘરમાં આવીને રહીશું. મારી મકાનમાલિકે કહ્યું હતું કે તું આ ઘર છોડીને પોતાના જ ઘરમાં જઈશ. અને જુઓ આજે કેટલી ખુશી થઈ રહી છે.'
ગરીબ લાભાર્થીઓને ફ્લેટની ચાવીઓ આપતા પહેલા સીએમ યોગીએ આ ફ્લેટની મુલાકાત લીધી હતી અને મૂલ્યાંકન કર્યુ હતુ. એક બેડરૂમ ઉપરાંત, આ 1 BHK ફ્લેટમાં એક લિવિંગ રૂમ, એક રસોડું, એક શૌચાલય, એક બાથરૂમ, એક બાલ્કની, વીજળી જોડાણ, પાણી અને પાર્કિંગની સુવિધા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા 9 જૂનના રોજ પણ સીએમ યોગીએ અતીક અહેમદના કબજામાંથી મુક્ત કરવામાં આવેલી જમીન પર બનેલા કુલ 76 ફ્લેટ ગરીબ લાભાર્થીઓને લોટરી સિસ્ટમ દ્વારા આપ્યા હતા.
#WATCH | A beneficiary says, "It feels great. I could never have imagined that I will get my own house. Now nobody will tell me to leave from here..." pic.twitter.com/u42PpG1ddK
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 30, 2023












Click it and Unblock the Notifications
