For Daily Alerts
સોમવારથી શરૂ થતી ઘરેલુ ફ્લાઈટો માટે ટિકિટ બુક કરાવતા પહેલા આ નવા નિયમ જાણી લો
ઘરેલુ ફ્લાઈટો માટે હવે એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (AAI)એ નવી ગાઈડલાઈન જારી કરી છે.
બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ એલાન કર્યુ કે 25મેથી ઘરેલુ ઉડાનો શરૂ થઈ જશે. આના માટે હવે એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (AAI)એ નવી ગાઈડલાઈન જારી કરી છે. નવી ગાઈડલાઈન મુજબ બધા મુસાફરોએ પોતાના ફોનમાં આરોગ્ય સેતુ એપ અનિવાર્યપણે ડાઉનલોડ કરવાનુ રહેશે. જો કે 14 વર્ષથી નાની ઉંમરના મુસાફરોને આની જરૂર નહિ પડે.
જાણો શું શું છે નવી ગાઈડલાઈનમાં
- ઘરેલુ યાત્રા માટે મુસાફરોને 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવુ જરૂરી છે જે પહેલા 40 મિનિટ હતુ.ૉએરપોર્ટ પર મુસાફરોનુ સંપુૂર્ણ થર્મલ સ્ક્રીનિંગ થશે અને ત્યારબાદ જ તેમની એન્ટ્રી થશે.
- આરોગ્ય સેતુ એપમાં ગ્રીન નહિ દેખાય તો એન્ટ્રી નહિ મળી શકે.
- મુસાફરોને પોતાની પર્સનલ ગાડી કે અધિકૃત ટેક્સી સર્વિસનો ઉપયોગ કરવાનો રહેશે.
- મુસાફરોને ટ્રોલીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો રહેશે.
- મુસાફરોને લાઈન વિના બોર્ડિંગ પાસ મળશે.
- માસ્ક અને ગ્લવ્ઝ પહેરવા જરૂરી હશે.
- જેમની ફ્લાઈટના ડિપાર્ચરમાં 4 કલાકનો સમય બાકી છે તેમને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં એન્ટ્રી કરવામાં દેવામાં નહિ આવે.
- મુસાફરોને સામાનને સંપૂર્ણપણે સેનિટાઈઝ કરવામાં આવશે.
- ટર્મિનલના બધા ગેટ ખોલવામાં આવશે જેથી ભીડ ભેગી ન થાય.
- સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવાનુ રહેશે.
- એરપોર્ટ બિલ્ડિંગ અને લૉન્જમાં ન્યૂઝ પેપર અને મેગેઝીન આપવાની મનાઈ કરવામાં આવી છે.
-
એરપોર્ટ
પર
ઠેર
ઠેર
હેન્ડસેનિટાઈઝર
રાખવા
માટે
કહેવામાં
આવ્યુ
છે.
Airports Authority of India (AAI) has issued Standard Operating Procedures (SOP) to all its airports for recommencement of domestic commercial flight operations from 25th May. All passengers must compulsorily be registered with the Aarogya Setu app on their phones as per the SOP. pic.twitter.com/95psLbFU6P
— ANI (@ANI) May 21, 2020
CBSE 10માં અને 12માની બાકી બચેલી પરીક્ષાઓ છાત્રોની પોતાની સ્કૂલમાં જ લેવાશે
Comments
English summary
New guidelines issued for domestic operations starts from 25 May
Story first published: Thursday, May 21, 2020, 12:34 [IST]