NIAનો મોટો ખુલસો, દાઉદે આંતકી હુમલો કરવા માટે મોકલ્યા 13 કરોડ
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ટેરર ફંડિગ અંગે પોતાની ચાર્જશીટમાં મોટો ખુલસા કરવામાં આવ્યો છે. NIAએ જણાવ્યું હતું કે, દાઉદ અને તેમના સહયોગી છોટા શકીલ એક વાર ફરીથી ભારતમાં આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ટેરર ફંડિગ અંગે પોતાની ચાર્જશીટમાં મોટો ખુલસા કરવામાં આવ્યો છે. NIAએ જણાવ્યું હતું કે, દાઉદ અને તેમના સહયોગી છોટા શકીલ એક વાર ફરીથી ભારતમાં આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે.
NIAના જણાવ્યા અનુસાર, દાઉદે હવાલા મારફતે પાકિસ્તાનમાં દુબઇના રસ્તે સુરત અને પછી મુંબઇ 25 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા છે. આ રૂપિયા આરિફ શેખ અને શબ્બીર શેખને મોકલવામાં આવ્યો છે. આ રીતે બન્નેએ છેલ્લા ચાર વર્ષમાં હવાલા મારફતે 12 થી 13 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે.
મની ટ્રાન્સફર કામ સ્વીકારવા માટે વપરાય છે હવાલા
સાક્ષી સુરત સ્થિત હવાલા ઓપરેટર છે, જેની ઓળખ સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે, રાશિદ મારફાની ઉર્ફે રાશિદ દુબઈમાં વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના પૈસાભારત મોકલવા હવાલા મની ટ્રાન્સફરનું કામ સ્વીકારતા હતા.
ચાર્જશીટમાં દાઉદ, શકીલ ઉપરાંત અન્ય નામ પણ સામેલ
ચાર્જશીટમાં દાઉદ, શકીલ, તેના સાળા સલીમ ફળ, આરીફ શેખ અને શબ્બીર શેખના નામ છે. છેલ્લા ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
NIAએ પોતાની ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે, કેવી રીતે આતંકવાદી ગતિવિધિઓ માટે પાકિસ્તાનથી 25 લાખ રૂપિયા ભારતમાંમોકલવામાં આવ્યા હતા.
ડી કંપનીના નિશાના પર ઘણા શહેરો
NIAએ દાવો કર્યો હતો કે, શબ્બીરે 5 લાખ રૂપિયા રાખ્યા હતા અને બાકીના રૂપિયા આરિફને સાક્ષીની સામે આપ્યા હતા. એનઆઈએએ જણાવ્યું હતું કે, તે નોંધનીય છે કે, 9 મે, 2022 ના રોજ શબ્બીરના ઘરની તલાશી દરમિયાન તેની પાસેથી 5 લાખ રૂપિયા મળી આવ્યા હતા.
ડી-કંપની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એનઆઈએની ચાર્જશીટ મુજબ, ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અંડરવર્લ્ડ ડોન દાઉદ
ઈબ્રાહિમને દેશના મોટા રાજનેતાઓ અને ઘણી મોટી હસ્તીઓ નિશાન બનાવી રહ્યા છે. એટલું જ નહીં, દાઉદે ભારતના જુદા જુદા શહેરોમાંરમખાણો આયોજિત કરવા માટે ડી કંપનીને તગડી રકમ પણ મોકલી હતી.તેમાં ભારતની રાજધાની નવી દિલ્હી અને આર્થિક રાજધાનીમુંબઈ ટોચની યાદીમાં હતા.