કોરોનાના વધતા મામલા વચ્ચે મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ કર્ફ્યૂ લાગશે, રાત્રે 8 વાગ્યે બંધ થઈ જશે મૉલ્સ
કોરોનાના વધતા મામલા વચ્ચે મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ કર્ફ્યૂ લાગશે, રાત્રે 8 વાગ્યે બંધ થઈ જશે મૉલ્સ
Maharashtra Coronavirus News: સતત વધી રહેલા કોરોનાવાયરસના મામલાઓને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રમાં રવિવારથી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો ફેસલો કરવામાં આવ્યો છે. રાજ્યમાં 8 વાગ્યેથી મૉલ બંધ કરવાના આદેશ આપી દેવાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઑફિસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાય શહેરોમાં કોરોનાના મામલામાં સતત વધારાના કારણે હાલત ચિંતાજનક થતી જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારનું અનુમાન છે કે રાજ્યમાં 4 એપ્રિલ સુધી કોરોનાના એક્ટિવ મામલા ત્રણ લાખને પાર કરી શકે છે.

મુંબઈમાં અત્યારે દરરોજ 5000 જેટલા મામલા સામે આવી રહ્યા છે. એટલું જ નહિ, ધારાવી એરિયામાં જાન્યુઆરીના મુકાબલે માર્ચ મહિનામાં એક્ટિવ મામલા 100 ટકાથી વધ્યા છે. કોરોના સંક્રમણને કારણે બનેલા હાલાતને પગલે લોકોની રોજીરોટી પર ફરીથી આફત છે માટે હવે આખી બસ્તીને જલદીમાં જલદી રસી લગાવવાની પહેલ બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી દીધી છે. ધારાવી પહેલી એવી ઝૂપડપટ્ટી છે જ્યાં અલગથી વેક્સીન સેંટર શરૂ થયાં હોય.
મહાનગર મુંબઈની વાત કરીએ તો આ શહેરમાં 40% કોવિડ બેડ, 30% આઈસીયૂ બેડ અને 27% વેંટિલેટર બેડ ખાલીછે વધતા મામલાને જોતાં 15000ની કોવિડ બેડ ક્ષમતાને વધારી બીએમસી 21000ની કરી રહી છે. સરકાર તરફથી જાહેર પરિપત્રમાં કહેવામાં આવ્યું કે સમગ્ર મહારાષ્ટ્રમાં 50% કોવિડ બેડ ખાલી છે. હોસ્પિટલ, બેડ, ઑક્સીઝન બધું વધારવામાં સરકાર લાગી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
