જાણો શું છે 'નિસર્ગ'નો અર્થ, 1891 બાદ મહારાષ્ટ્રમાં પહેલી વાર થઈ આ ખાસ વાત
આમ તો આ બહુ નવાઈની વાત છે કે જૂનના મહિનામાં કોઈ વાવાઝોડુ મહારાષ્ટ્ર કે ગુજરાતને હેરાન કરવાનુ છે. સામાન્ય રીતે આવુ બનતુ નથી.
કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલ ગુજરાત અને મહારાષ્ટ્ર પર હવે વાવાઝોડાનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે અરબ સાગરમાં બનેલ ડિપ્રેશન આજે બપોરે ડીપ ડિપ્રેશનમાં બદલાઈ જશે અને ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં આલગા 12 કલાક દરમિયાન વાવાઝોડામાં બદલાઈ જશે. આ વાવાઝોડાથી સૌથી વધુ જોખમ મુંબઈને છે જેના માટે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આમ તો આ બહુ નવાઈની વાત છે કે જૂનના મહિનામાં કોઈ વાવાઝોડુ મહારાષ્ટ્ર કે ગુજરાતને હેરાન કરવાનુ છે. સામાન્ય રીતે આવુ બનતુ નથી.

1891 બાદ પહેલી વાર મહારાષ્ટ્રમાં જૂનમાં આવ્યુ વાવાઝોડુ
તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ 1891 બાદ પહેલી વાર અરબ સાગરમાં મહારાષ્ટ્રના તટીય વિસ્તારોની આસપાસ સાયક્લોનનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. આ પહેલા વર્ષ 1948 અને 1980માં એવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી પરંતુ તે સાયક્લોનમાં ફેરવાઈ શક્યુ નહોતુ.

બાંગ્લાદેશે આપ્યુ નિસર્ગ નામ
જેમ કે તમને ખબર છે કે વિશ્વ હવામાન સંગઠનના 13 સભ્ય દેશ વારાફરતી તોફાનોના નામ રાખે છે તો આ વખતે આ વાવાઝોડાનુ નામ બાંગ્લાદેશે આપ્યુ છે જેને અમુક લોકો હિંદીમાં ચક્રવાત નિસારગા કે ચક્રવાત નિસર્ગ લખી રહ્યા છે પરંતુ અંગ્રેજીમાં એક જ શબ્દ છે નિસર્ગ, જેનો અર્થ બાંગ્લા ભાષામાં પ્રકૃતિ થાય છે. તમને જણાવી દઈએ કે વિશ્વ સંગઠનના 13 સભ્ય દેશોમાં બાંગ્લાદેશ, ભારત, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સઉદી અરબ, શ્રીલંકા, થાઈલેન્ડ, યુએઈ અને યમન શામેલ છે.

મુંબઈમાં રેડ એલર્ટ
આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી છે કે સમુદ્રમાં 4 જૂન સુધી સ્થિતિ ખૂબ જ વિકટ હશે. આ દરમિયાન 90થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ વધીને 110 કિલોમીટર પણ થઈ શકે છે. આ વાવાઝોડાની અસર મુંબઈ પર સૌથી વધુ થવાની છે અને આના કારણે મુંબઈ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અને અન્ય વિભાગોના કંટ્રોલ રૂમમાં પૂરતી કર્મચારીઓની સંખ્યાને તૈનાત કરવામાં આવ્યા છે.

કેમ આવે છે વાવાઝોડુ
પૃથ્વીના વાયમંડળમાં હવા હોય છે, સમુદ્રના ઉપર પણ જમીનની જેમ જ હવા હોય છે. હવા હંમેશા ઉચ્ચ દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્રની તરફ વહે છે. જ્યાં હવા ગરમ થઈ જાય ત્યારે હલકી થઈ જાય છે અને ઉપર જવા લાગે છે. જ્યાર દરિયાનુ પાણી ગરમ થાય ત્યારે તેની ઉપરની હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર જવા લાગે છે. આ જગ્યાએ નીચા દબાણનુ ક્ષેત્ર બનવા લાગે છે. આસપાસની ઠંડી હવા નીચા દબાણવાળા ક્ષેત્રને ભરવા માટે આ તરફ આગળ વધવા લાગે છે પરંતુ પૃથ્વી પોતાની ધરી પર લટ્ટુની જેમ ફરતી રહે છે આ કારણે આ હવા સીધી દિશામાં નહિ જઈને ફરવા લાગે છે અને ચક્કર લગાવીને એ જગ્યા તરફ આગળ વધે છે તેને ચક્રવાત કહે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
