નરેન્દ્ર મોદીએ ગિરિરાજ, તોગડિયા મુદ્દે કહ્યું; બેજવાબદાર નિવેદનો ના આપો
ગાંધીનગર, 22 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક સમયથી લોકસભા ચૂંટણી 2014ના ચૂંટણી પ્રચારમાં વિવાદાસ્પદ નિવેદનો આપી રહેલા નેતાઓને કડકાઇ પૂર્વક આવા નિવેદનો નહીં કરવાની સલાહ આપી છે. મોદીએ આ સલાહ આજે સવારે ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે.
નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે 'સ્વયંને ભાજપના શુભચિંતક ગણાવતા કેટલાક લોકો પોતાના નિવેદનોથી વિકાસ અને સુશાસનના મુદ્દે ચાલી રહેલા પ્રચાર અભિયાનને ભટકાવી રહ્યા છે.'

મોદીએ ટ્વિટમાં આગળ જણાવ્યું કે 'હું આવા કોઇ પણ બેજવાબદારી ભર્યા નિવેદનને નકારું છું અને આ પ્રકારના નિવેદનો કરનારાઓને અપીલ કરું છું કે તેઓ આવા નિવેદનો આપવાથી દૂર રહે.'
ઉલ્લેખનીય છે કે એક અંગ્રેજી દૈનિકમાં છપાયેલા સમાચાર અનુસાર વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ શનિવારે ગુજરાતના ભાવનગરમાં એક રેલીમાં જણાવ્યું હતું કે મુસલમાનોને હિન્દુ વિસ્તારોમાં સંપત્તિ ખરીદતા રોકવા જોઇએ.
જ્યારે બિહારમાં ભાજપના નેતા ગિરિરાજ સિંહે ઝારખંડના ગોડ્ડામાં એક સભા સંબોધિત કરતા સમયે કહ્યું હતું કે જે લોકો તેમની પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે, તેમણે સામાન્ય ચૂંટણીઓ બાદ ભારત છોડીને પાકિસ્તાન જતા રહેવું જોઇએ.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી






Click it and Unblock the Notifications
