જિજ્ઞેશ મેવાણી-ઉમર ખાલિદ પર કેસ, કાર્યક્રમમાં જવા પર રોક
જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ પર કેસને કારણે કાર્યક્રમમાં જવાની પરવાનગી નહીં પુણે હિંસા પહેલાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ આ અંગે વધુ વાંચો અહીં...
ભીમા કોરેગાંવ હિંસા બાદ આખા મહારાષ્ટ્રમાં જે રીતે નફરતની જ્વાળાઓ ફેલાઇ છે, એને કારણે અનેક પ્રકારના સવાલ ઊભા થયા છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 300 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પર સેક્શન 153(એ), 505, 117 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ બંને પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે, આ કારણે ગુરૂવારના ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ સમિટ 2018 કાર્યક્રમમાં મુંબઇ પોલીસ તરફથી આ બંનેને પરવાનગી આપવામાં નથી આવી. બંને નેતાઓ આ કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા.

ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરના રોજ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદએ એલ્ગાર પરિષદમાં હાજરી આપી હતી, આ કાર્યક્રમનું આયોજન શહેરના શનિવાર વાડામાં ભીમા-કોરેગાંવની લડિને 200 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે કરવામાં આવ્યું હતું. ફરિયાદીઓ અનુસાર, અહીં બંને નેતાઓ દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું, જે પછી હિંસા ભડકી ઉઠી હતી. આ પછી બુધવારે દલિત નેતા પ્રકાશ આંબેડકરની આગેવાનીમાં અનેક સંગઠનો દ્વારા રાજ્ય બંધની ઘોષણા કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઇ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હિંસા થઇ હતી. મુંબઇ પોલીસ દ્વારા કુલ 25 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
