જિજ્ઞેશ મેવાણી-ઉમર ખાલિદ પર કેસ, કાર્યક્રમમાં જવા પર રોક

જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ પર કેસને કારણે કાર્યક્રમમાં જવાની પરવાનગી નહીં પુણે હિંસા પહેલાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ આ અંગે વધુ વાંચો અહીં...

ભીમા કોરેગાંવ હિંસા બાદ આખા મહારાષ્ટ્રમાં જે રીતે નફરતની જ્વાળાઓ ફેલાઇ છે, એને કારણે અનેક પ્રકારના સવાલ ઊભા થયા છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 300 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પર સેક્શન 153(એ), 505, 117 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ બંને પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે, આ કારણે ગુરૂવારના ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ સમિટ 2018 કાર્યક્રમમાં મુંબઇ પોલીસ તરફથી આ બંનેને પરવાનગી આપવામાં નથી આવી. બંને નેતાઓ આ કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા.

jignesh mevani umar khalid

ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરના રોજ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદએ એલ્ગાર પરિષદમાં હાજરી આપી હતી, આ કાર્યક્રમનું આયોજન શહેરના શનિવાર વાડામાં ભીમા-કોરેગાંવની લડિને 200 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે કરવામાં આવ્યું હતું. ફરિયાદીઓ અનુસાર, અહીં બંને નેતાઓ દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું, જે પછી હિંસા ભડકી ઉઠી હતી. આ પછી બુધવારે દલિત નેતા પ્રકાશ આંબેડકરની આગેવાનીમાં અનેક સંગઠનો દ્વારા રાજ્ય બંધની ઘોષણા કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઇ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હિંસા થઇ હતી. મુંબઇ પોલીસ દ્વારા કુલ 25 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X