જિજ્ઞેશ મેવાણી-ઉમર ખાલિદ પર કેસ, કાર્યક્રમમાં જવા પર રોક
જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ પર કેસને કારણે કાર્યક્રમમાં જવાની પરવાનગી નહીં પુણે હિંસા પહેલાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ આ અંગે વધુ વાંચો અહીં...
ભીમા કોરેગાંવ હિંસા બાદ આખા મહારાષ્ટ્રમાં જે રીતે નફરતની જ્વાળાઓ ફેલાઇ છે, એને કારણે અનેક પ્રકારના સવાલ ઊભા થયા છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 300 લોકોની ધરપકડ કરી છે. આ સિવાય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદ અને ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પર સેક્શન 153(એ), 505, 117 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ બંને પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે, આ કારણે ગુરૂવારના ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ સમિટ 2018 કાર્યક્રમમાં મુંબઇ પોલીસ તરફથી આ બંનેને પરવાનગી આપવામાં નથી આવી. બંને નેતાઓ આ કાર્યક્રમમાં ભાષણ આપવાના હતા.

ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બરના રોજ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદએ એલ્ગાર પરિષદમાં હાજરી આપી હતી, આ કાર્યક્રમનું આયોજન શહેરના શનિવાર વાડામાં ભીમા-કોરેગાંવની લડિને 200 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે કરવામાં આવ્યું હતું. ફરિયાદીઓ અનુસાર, અહીં બંને નેતાઓ દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું, જે પછી હિંસા ભડકી ઉઠી હતી. આ પછી બુધવારે દલિત નેતા પ્રકાશ આંબેડકરની આગેવાનીમાં અનેક સંગઠનો દ્વારા રાજ્ય બંધની ઘોષણા કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઇ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હિંસા થઇ હતી. મુંબઇ પોલીસ દ્વારા કુલ 25 લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
