આજ સુધી એકેય હિન્દુ રાજાએ મસ્જિદ નથી તોડી, સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા નહિઃ ગડકરી
આજ સુધી એકેય હિન્દુ રાજાએ મસ્જિદ નથી તોડી, સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા નહિઃ ગડકરી
નવી દિલ્હીઃ અખિલ ભારીય સ્વાતંત્ર્યવીર સાવરકર સાહિ્ય સમ્મેલનમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પાછલા 5000 વર્ષમાં ઈતિહાસમાં એવી કોઈપણ ઘટના નથી બની, જેમાં કોઈ હિન્દૂ રાજાએ કોઈ મસ્જિદ તોડી હોય, ધર્મ તોડવાનું નહિ બલકે જોડવાનું કામ કરે છે, કોઈપણ હિન્દુ શાસકે તલવારના દમ પર કોઈનો ધર્મ નહોતો બદલાવ્યો, આપણી ભારતીય સંસ્કૃતિ પ્રગતિશીલ છે, આ સંકુચિત નથી, જાતિવાદી નથી, સાંપ્રદાયિક છે.
સાવરકરને યાદ રાખો નહિ તો 1947 જેવું થશે
નીતિન ગડકરીએ કહ્યું કે એટલા માટે આપણે વીર સાવરકરને હંમેશા યાદ રાખવા પડશે કેમ કે જો આપણે ભૂલી જશું તો જે 1947માં થયું તે બીજીવાર થશે, માટે હિંદુસ્તાનને ભવિષ્યમાં જીવિત રાખવા છે તો આપણે સાવરકરને આપણા વિચારો અને સોચમાં હંમેશા જીવિત રાખવા પડશે.
સમાજવાદ, લોકતંત્ર કે ધર્મનિરપેક્ષતા નહિ રહે
સાવરકરના વિચારોની અવગણના કરવા પર આપણે દેશના ભાગલા જોયા છે અને હજી પણ જો આપણે તે તરફ ધ્યાન નહી આપીએ તો આપણા દેશમાં જ નહિ દુનિયામાં સમાજવાદ, લોકતંત્ર કે ધર્મનિરપેક્ષતા નહિ રહે.
સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા નહિ
ગડકરીએ કહ્યું કે લોકોને ભ્રમ છે કે સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા છે, જ્યારે એું નથી બલકે સેક્યુલરનો અર્થ હોય ચે સર્વધર્મ સમભાવ, અનેકતામાં એકતા આપણી વિશેષતા છે પરંતુ અલ્પસંખ્યકની અથવા કોઈ કોમ્યુનિટીનું તુષ્ટીકરણ કરવું આ સેક્યુલર નથી, આપણે કોઈપણ ધર્મ વિરુદ્ધ નથી, આપણે બધા ધર્મનું સન્માન કરીએ છીએ, માત્ર પ્રેમ જ સિખવે છે.
અમે મુસ્લિમ કે મુસ્લિમ સંસ્કૃતિની વિરુદ્ધ નથી
મુસ્લિમ વર્ગમાં પણ ઘણા ભણેલા સમજદાર લોકો છે જો ઈચ્છે છે કે બાળકોને શિક્ષા મળે, તેઓ આગળ વધે, અમે મુસ્લિમની વિરુદ્ધ નથી અને તેમની સંસ્કૃતિની વિરુદ્ધ પણ નથી પરંતુ જે આતંકવાદી છે, જે ફંડામેન્ટલિસ્ટ છે, જે કહે છે કે અમે સારા છીએ, બાકી બધા કાફિર છે, બધાને હટાઓ- આ પ્રવૃત્તિ વિરુદ્ધ છીએ.
દિલ્હીમાં ભડકાઉ ભાષણ આપનાર ત્રણેય નેતાઓ પર ભાજપ એક્શન લેઃ ચિરાગ પાસવાન